રાજકોટ: કોરોનાને હરાવવા 3500 બેડની વ્યવસ્થા કરવામાં આવી: મુખ્યમંત્રી

અટલ સમાચાર,ડેસ્ક સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોના વાયરસનાં સંક્રમણના કેસ વધવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારી અંગે કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
રાજકોટ: કોરોનાને હરાવવા 3500 બેડની વ્યવસ્થા કરવામાં આવી: મુખ્યમંત્રી

અટલ સમાચાર,ડેસ્ક

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોના વાયરસનાં સંક્રમણના કેસ વધવાને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારી અંગે કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીતમાં મહત્વની વાત જણાવી છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં 3500 બેડની કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ સારી છે. રાજ્યમાં પહેલા સાત મૃત્યુદર હતો જેનો ચાર ટકા થયો છે. રિકવરી રેટ પણ વધીને 74 ટકા થયો છે. ગુજરાત દેશમાં કોરોનાની સ્થિતિમાં 12માં નંબરે આવી ગયુ છે. અમદાવાદની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે.

આ સાથે સુપ્રીમકોર્ટે પણ કોરોનાનું ગુજરાત મોડલ વખાણ્યું હોવાનુ ઉમેર્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રનાં કોરોના દર્દીઓ રાજકોટમાં આવે છે. જેથી રાજકોટમાં 3500 બેડની હૉસ્પિટલ બનાવવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદમાં 1500 બેડની હૉસ્પિટલ છે.