રાજકોટ: બ્લેડથી 6 લોકોની હત્યા કરનાર સિરીયલ કિલર ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક રાજકોટના સિરીયલ કીલર નિલેશ ઉર્ફે નિલયની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સિરિયલ કિલર એક વર્ષથી પેરોલ પર ફરાર હતો. સિરિયલ કિલર નિલયને બ્લેડથી હત્યા કરવાની ટેવ હતી. તે તમામ હત્યા બ્લેડથી કરતો હતો. હત્યારા નિલયે રાજકોટમાં 4 અને સુરેન્દ્રનગરમાં 2 હત્યા કરી હતી. હત્યાના કેસમાં સિરિયલ કિલર નિલયને આજીવન કેદની સજા ફટકારવામાં
 
રાજકોટ: બ્લેડથી 6 લોકોની હત્યા કરનાર સિરીયલ કિલર ઝબ્બે

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટના સિરીયલ કીલર નિલેશ ઉર્ફે નિલયની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સિરિયલ કિલર એક વર્ષથી પેરોલ પર ફરાર હતો. સિરિયલ કિલર નિલયને બ્લેડથી હત્યા કરવાની ટેવ હતી. તે તમામ હત્યા બ્લેડથી કરતો હતો. હત્યારા નિલયે રાજકોટમાં 4 અને સુરેન્દ્રનગરમાં 2 હત્યા કરી હતી. હત્યાના કેસમાં સિરિયલ કિલર નિલયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ રીતે ગળુ કાપીને હત્યા કરવાની ટેવ ધરાવતો સિરીયલ કિલર નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતા જેલમાં સજા ભોગવી રહ્યો હોવાથી કોઇ નવા અપરાધીનું કૃત્ય હોવાની શંકા હતી. પરંતુ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા પોલીસ દંગ રહી ગઇ. એપાર્ટમેન્ટમાંથી ભાગી રહેલા શખ્સો પૈકી એક શખ્સ નિલય ઉર્ફે નિલેશ હતો. નિલયે માત્ર થોડા જ રુપિયા માટે છ નિર્દોષ વ્યક્તિની નિર્દયતાથી ગળુ કાપીને હત્યા કરી હતી. સિરીયલ કિલર સામે 6 હત્યા સહિત 28 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.

નોંધનીય છે કે, ગત વર્ષે શહેરનાં રૈયારોડ પર આમ્રપાલી ફાટક પાસે પંચરત્ન કોમ્પલેક્સનાં એપાર્ટમેન્ટમાં એકલા રહેતા વિમલેશકુમારી કૃષ્ણગોપાલ વાર્સન (ઉ.વ.78)ની તેમના જ ઘરમાંથી ગળુ કાપીને હત્યા કરાયેલી લાશ મળી હતી. શરીર પરથી સોનાના તમામ ઘરેણા અને પર્સ ગાયબ હોવાથી પ્રથમ દ્રષ્ટિએ જ બનાવ લૂંટનો હોવાના તારણ સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી.