રાજ્યસભા: પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોને સરકાર પરત લાવે: શક્તિસિંહ ગોહિલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યસભામાં આજે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતુ કે, ગુજરાતની દરિયાઈ સીમા પાકિસ્તાન સાથે સંકળાયેલી છે અને પાકિસ્તાની નેવી માછીમારોને ધરપકડ કરીને તેમની બોટ કબ્જામાં લઈ લે છે. જ્યારે માછીમારોને જેલમાં ધકેલી દે છે. આવા માછીમારોને મુક્ત કરાવવામાં આવે અને તેમની બોટ સાથે તેમને પરત લાવવામાં આવે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
गुजरात के मछुआरों को अक्सर उनकी नावों के साथ पाकिस्तान मरीन द्वारा पकड़ा जाता है। पाकिस्तानी जेल में कैद मछुआरों और उनकी नौकाओं को वापस लाने के लिए सरकार उचित कदम उठाए। Vessel tracking and monitoring system के कुप्रबंधन पर कैग रिपोर्ट में किए गए खुलासे को गंभीरता से ले। pic.twitter.com/Ahp8vbwh25
— Shaktisinh Gohil (@shaktisinhgohil) February 10, 2021
ગુજરાતથી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, પાકિસ્તાનના કરાંચીની મધ્યસ્થ જેલમાં 400 ભારતીય માછીમારો કેદ છે. જ્યારે તેમની 1,100 બોટ પાકિસ્તાન દ્વારા કબ્જે કરવામાં આવી છે. તેમણે સરકારને માછીમારોની મુક્તિ અને તેમની બોટ છોડાવવા માટે કંઈક પગલા લેવાનો આગ્રહ કર્યો. તેમણે ઉમેર્યુ હતુ કે, જ્યારે પાકિસ્તાની મરિસ સિક્ટોરિટી એજન્સી ભારતીય માછીમારોને ના પકડી શકે, તે માટે ભારતીય કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ વધારવામાં માંગ કરવામાં આવી છે.