રથયાત્રા@અમદાવાદ: ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં ભગવાન જગન્નાથ

અટલ સમાચાર, મહેસાણા,અમદાવાદ આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યાં છે. વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો હતો. સવારે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો હતો જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો
 
રથયાત્રા@અમદાવાદ: ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં ભગવાન જગન્નાથ

અટલ સમાચાર, મહેસાણા,અમદાવાદ

આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યાં છે. વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો હતો. સવારે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો હતો જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીએ પહિંદી વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેના બાદ જગતના નાથ નગરચર્યાંએ નીકળ્યાં છે.

રથયાત્રાનો રુટ

જમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રા નીકળી જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે.

બપોરે સરસપુરમાં વિશ્રામ કર્યા બાદ રથયાત્રા સરસપુરથી નીકળી કાલુપુર બ્રિજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આર.સી.હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, ફુંવારા, ચાંદાલાઓળ, સાંકડી શેરીના નાકેથી થઈ માણેકચોક દાણાપીઠ, ગોળલીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી શ્રી જગન્નાથ મંદિર રથયાત્રા પરત ફરશે.

વધશે રથયાત્રાની શોભા

શણગારેલા ગજરાજ
અંગ કસરતના દાવપેચ સાથે અખાડા
હજારો સાધુ સંતો
રથ ખેંચતા ખલાસીઓ અને લાખો ભક્તોની જનમેદની
ભજન મંડળીઓ
રથયાત્રામાં ભક્તોને પ્રસાદી વહેંચાશે
હજારો કિલો મગ પ્રસાદ
જાંબુનો પ્રસાદ
કેરીનો પ્રસાદ
કાકડી અને દાડમનો પ્રસાદ
ઉપેર્ણા પ્રસાદ

25 હજાર પોલીસકર્મીઓની ચાંપતી નજર

અષાઢી બ્રિજના દિવસે અમદાવાદની ગલીઓ વચ્ચેથી રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આ દિવસની રાહ જોતા હોય છે. જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળી 142મી રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મચારી ખડેપગે રહયા છે. 22 કિલોમીટરની રથયાત્રા રૂટમાં બોમ્બ સ્કોડ અને એનએસજી કમાંડોની ટીમ પણ હાજર છે.

સરસપુરમાં જમાણવાર સાથે ખીચડાનો પ્રસાદ લોકો લઈ રહ્યાં છે. આ દિવસે ગિરનારી ખીચડી બનાવાવમાં આવે છે. જેમાં 17 પ્રકારના શાક નાંખીને ખીચડી બનાવવામાં આવે છે. આ જ ખીચડી પ્રસાદમાં ચઢાવાય છે. મહંત દિલીપદાસજી મહારાજ પણ સરસપુર પહોંચી ગયા છે. અહીં તેઓ રથ પહોંચતા પહેલાનું તમામ નિરીક્ષણ કરશે. ભગવાનના મોસાળ સરસપુરમાં હમણા તેમને તમામ વસ્ત્રો, અલંકાર ભેટ કરવામાં આવશે. ભગવાનના લાડ લડાવવામાં આવશે. ભગવાનને નિહાળવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સરસપુર પહોંચી ગયા છે. જેને પગલે સરસપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રથયાત્રામાં ભક્તોનો સતત ધસારો વધી રહ્યો છે. રથ ઢાળની પોળ પહોંચતા જ આ વિસ્તારમાં અમીછાંટણા થયા હતા, જેને પગલે જગન્નાથપ્રેમીઓમાં આનંદ ફેલાઈ ગયો હતો. લોકોએ તેને ભગવાનનો પ્રસાદ ગણાવ્યો હતો.

વહેલી સવારે મંગળા આરતી થઈ જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો.

રથયાત્રા@અમદાવાદ: ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં ભગવાન જગન્નાથ

પાંચ કુવા ખાતે મુસ્લિમ બિરાદરોએ શાંતિ દૂતના પ્રતિક સમા કબૂતર ઉડાવ્યા. પાંચકુવાના મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાના અખાડાનું સ્વાગત કર્યું હતું. રથયાત્રા ના અખડા નું મુસ્લિમ. બિરાદરો એ સ્વાગત કર્યું હતુ. લોકોએ અલગ અલગ પ્રકારના વેશભૂષા સાથે રથયાત્રામાં અનેરુ આકર્ષણ જમાવ્યું છે. રથયાત્રાના સમગ્ર રુટ પર રાધે રાધે, જય જગન્નાથના સૂત્રોચ્ચાર બોલાવાઈ રહ્યાં છે.

રથયાત્રાના સમગ્ર રૂટનું AMC કન્ટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરાઈ રહ્યું છે. 94 CCTV કેમેરા મારફતે રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર નજર રાખવા અત્યાધુનિક 94 કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ 94 CCTV કેમેરા મુવેબલ હોવાથી ચારેય દિશામાં મુવ કરીને ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 સેન્ટરો પર રથયાત્રાનું મોનિટરિંગ થઈ રહ્યું છે. AMC કંટ્રોલ રૂમ, શાહીબાગ પોલીસ હેડ કવાર્ટર, તંબુ ચોકી, CM હાઉસ, એનેકસી-અમદાવાદ અને DGP ઓફિસ-ગાંધીનગર ખાતેથી મોનિટરીંગ પણ થઈ રહ્યું છે.

રથયાત્રા@અમદાવાદ: ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં ભગવાન જગન્નાથ

રથયાત્રામાં કુલ 101 ટ્રકો રથયાત્રામાં જોડાઈ છે. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા છે. હાલ રથયાત્રાની ટ્રકો આસ્ટોડિયા પહોંચી હતી. શહેરના 19 કિલોમીટર રુટ પર રથયાત્રા ફરશે. રથયાત્રામાં શણગારાયેલા 16 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા છે. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો છે. આ ટેબલો પર વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર લગાવાઈ છે, જેના થકી રાષ્ટ્રભાવનાનો મેસેજ આપવામાં આવ્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ લગાવવામાં આવી છે. આ ટેબલોમાં બેસેલા બાળકોએ ભારતીય સેના અને આર્મીનો પહેરવેશ પહેર્યો છે. તો એક બાળકે અભિનંદનની જેમ મૂંછો રાખી છે. રથયાત્રામાં જોડાયેલ ટેબ્લોમાં ગૃહમંત્રી અમિત શાહના પણ કટઆઉટ લગાવવામાં આવ્યા છે. અલગ અલગ ગ્રૂપના લોકો પોતાના ટેબલો સાથે રથયાત્રામાં જોડાયા છે.

રથયાત્રા@અમદાવાદ: ભાઈ-બહેન સાથે નગરચર્યાએ નીકળ્યાં ભગવાન જગન્નાથ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી બાદ મીડિયા સંબોધનમાં કહ્યું કે, રસ્તાને સાફસુધરો કરીને ભગવાનને રાજમાર્ગ માટે શરૂઆત કરાવી છે. આજે ભગવાન સમગ્ર નગરમાં ફરશે, અને રાત્રે મંદિરમાં પાછા ફરશે. ગઈકાલે રાત્રે અમી છાંટણા પણ થયા. ભગવાનની કૃપા વરસી રહી છે. આજના દિવસે સમગ્ર ગુજરાતની જનતાને મારી શુભકામનાઓ. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આજે ભગવાન જગન્નાથની રથયાત્રા આનંદમય વાતાવરણમાં ઉત્સાહપૂર્વક શરૂ કરી છે. ભગવાને પણ અમી છાંટણા વરસાવી શોભાયાત્રાને આર્શીવાદ આપ્યા છે. અમે બધાએ દર્શન કર્યાં હતા. રાજાકાળમાં રથયાત્રાના દિવસે નગરનો રાજા શણગારેલી ડોલીમાં મંદિરમાં આવતો અને ભગવાનની સેવા જાતે કરતો હતો. રથયાત્રા નીકળવાના આસપાસનો માર્ગ તેઓ જાતે ધોતા હતા. સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને માર્ગ પર સુખડનું જળ છાંટતા હતા. આ માર્ગ પરથી ભગવાન નગરચર્યાએ નીકળતા હતા. ત્યારે હવે આ વિધી રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે છે.