રાહત@ગુજરાતઃ એક દિવસમાં 275 કેસ, 1નું મોત, 430 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 275 કેસ નોંધાયા છે. જેની સામે 430 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4392 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.26 ટકા છે. રાજયમાં આજે 33,642 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર
 
રાહત@ગુજરાતઃ એક દિવસમાં 275 કેસ, 1નું મોત, 430 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 275 કેસ નોંધાયા છે. જેની સામે 430 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4392 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.26 ટકા છે. રાજયમાં આજે 33,642 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 4,53,161 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 47, સુરતમાં 43, વડોદરામાં 69, રાજકોટમાં 18, નર્મદામાં 9 સહિત કુલ 275 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં 1 મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 143, સુરતમાં 51, વડોદરામાં 79, રાજકોટમાં 33, આણંદમાં 16, બનાસકાંઠામાં 14, ભરૂચમાં 10, ખેડામાં 9 સહિત કુલ 430 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 2800 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 27 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 2773 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,55,489 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.