ધાર્મિક@અમદાવાદ: ઉમિયાધામમાં શિલાન્યાસ પૂજન વિધિ, દિગ્ગજોની હાજરી 

અટલ સમાચાર,ડેસ્ક આજે ઉમિયાધામમાં શિલાન્યાસ વિધિ શરૂ 500 થી વધુ દંપતી શિલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે સોનુ, ચાંદી, તાંબુ, મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાખવામાં આવશે 20 દાતાઓના ઘરેથી આ એકત્રિત કરવામાં આવ્યું છે. એક સાથે 700 જેટલી શિલાઓની વૈદિક મંત્રોથી પૂજન કરવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
ધાર્મિક@અમદાવાદ: ઉમિયાધામમાં શિલાન્યાસ પૂજન વિધિ, દિગ્ગજોની હાજરી 

અટલ સમાચાર,ડેસ્ક 

આજે ઉમિયાધામમાં શિલાન્યાસ વિધિ શરૂ 500 થી વધુ દંપતી શિલાની પૂજા કરશે. ગર્ભગૃહની 10 ફૂટ નીચે સોનુ, ચાંદી, તાંબુ, મોતી, હીરા અને ઝવેરાતનું 14 કિલોનું મિશ્રણ નાખવામાં આવશે 20 દાતાઓના ઘરેથી આ એકત્રિત કરવામાં આવ્યું છે. એક સાથે 700 જેટલી શિલાઓની વૈદિક મંત્રોથી પૂજન કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં નિમાર્ણ પામનાર વિશ્વના સૌથી મોટો ઉમિયામંદીરની શિલાન્યાસ વિધિ ચાલી રહી છે. શિલાની વિધિમાં 108 મુખ્ય દંપતી પૂજા કરવા બેઠા છે. આ તરફ તમામ શિલાન્યાસ પૂજન વિધિમાં 300થી વધુ દંપતીઓ જોડાયા છે. શિલાન્યાસ પૂજામાં 8 શિલાઓની આગવી વિશેષતા છે. નંદા શીલા ,ભદ્રા શીલા, જયા શીલા ,પૂર્ણ શીલા ,અજિતા શીલા ,શુક્લા શીલા સૌભાગીની શીલા મંદિરમાં હશે.

ધાર્મિક@અમદાવાદ: ઉમિયાધામમાં શિલાન્યાસ પૂજન વિધિ, દિગ્ગજોની હાજરી 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિલાન્યાસની વિધિને લઇ જર્મનના આર્કીટેકો સમારોહમાં પહોચ્યાં હતા. વિશ્વના સૌથી ઊંચા મંદિર ની ડિઝાઇન ઇન્ડોર જર્મન ટેક્નોલોજી થી કરવામાં આવશે. જર્મન અને ભારતના આર્કીટેક મળીને સંયુક્ત રીતે મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. નોંધનિય છે કે, મંદીરની બનાવટમાં 5 વર્ષ લાગી શકે છે. ભૂકંપ-વાવાઝોડા પ્રૂફ હશે આ ઉમિયાધામ મંદિર.

ધાર્મિક@અમદાવાદ: ઉમિયાધામમાં શિલાન્યાસ પૂજન વિધિ, દિગ્ગજોની હાજરી 

આજે વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ સમારોહનો બીજો દિવસ છે. આજે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ નિતીન પટેલ, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ પણ હાજર રહેશે. આ દરમિયાન પાટીદાર સમાજના ધારાસભ્યો, આગેવાનો પણ હાજર રહેશે.સવારે મંદિરમાં શિલાપૂજન સમારોહ યોજાયો હતો. આજે સાંજે 4થી 7 વાગ્યા સુધી ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દેશભરના સંતો-મહંતો ધર્મસભામાં હાજરી આપશે.