ધાર્મિક@દેશ: અયોધ્યાના શ્રીરામ મંદિરના નવા મોડલની તસવીરો, કાલે શિલાન્યાસ
અટલ સમાચાર, ડેસ્ક
કોરોના વાયરસના કહેર વચ્ચે આવતીકાલે રામમંદીરનું શિલાન્યાસ કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેવાના છે. જેને લઇ સંપૂર્ણ અયોધ્ધા સજ્જ છે. અયોધ્યામાં આ અવસરને ભવ્ય બનાવવા માટે દીવાલો પર રંગોથી ચિત્રકામ કરીને મૂર્તિઓના નિર્માણ સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અયોધ્યામાં ભવ્ય રામમંદીરના નવા મોડલની કેટલીક તસવીરો સામે આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અયોધ્યા ખાતે આવતીકાલે 5 ઓગસ્ટે શુભમુહૂર્તમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. અયોધ્યામાં આ અવસરને ભવ્ય બનાવવા માટે દીવાલો પર રંગોથી ચિત્રકામ કરીને મૂર્તિઓના નિર્માણ સુધીનું કામ પૂરું થઈ ગયું છે. અયોધ્યામાં ભૂમિપૂજન માટે હર્ષોલ્લાસ ચરમસીમાએ છે.
આવતી કાલે ભૂમિ પૂજન થાય તે પહેલા આજે હનુમાનગઢીમાં નિશાન પૂજા કરવામાં આવી. નિશાન પૂજન દ્વારા હનુમાનજી પાસે રામ મંદિર નિર્માણની મંજૂરી લેવામાં આવી. રામ મંદિર નિર્માણમાં હનુમાનગઢીના નિશાન પૂજનનું ખુબ મહત્વ છે. હનુમાનગઢીના નિશાન 1700 વર્ષ જૂના છે. આ સાથે રામ અર્ચના પણ કરાઈ.