ધાર્મિક@ડીસા: ભટીયાણી માતાજીના મંદીરે તેરસ નિમિત્તે હવન-યજ્ઞ યોજાયો
અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)
ડીસાના રીઝમેટ વિસ્તાર પાસે આવેલ ભટીયાણી માતાજીના મંદીરે હવન યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડ્યા હતા. વર્ષો જૂના ભટીયાણી માતાજીના મંદીરમાં હવન-યજ્ઞનું આયોજન સામાજીક આગેવાનોની નજર હેઠળ કરવામાં આવ્યુ છે. આ સાથે ભક્તો માટે ભોજનપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં રીઝમેટ વિસ્તારમાં વર્ષોજુનુ ભટીયાણી માતાજીનું મંદીર આવેલુ છે. કારતક સુદ તેરસના પવિત્ર દિવસે મંદીરના પટાંગણમાં હવન-યજ્ઞનું સુંદર આયોજન સામાજીક આગેવાનો દ્રારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ભાવિકભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સાથે આયોજકો દ્રારા હવન-યજ્ઞની સાથે ભોજન-પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સમાજના ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.