ધાર્મિક@કાંકરેજ: મહા શિવરાત્રિએ શિવધામમાં ભજન-સત્સંગ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર, કાંકરેજ
કાંકરેજ તાલુકાના ગામે મહાશિવરાત્રિએ સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. આકોલી ગામના શિવમંદીરમાં મહંત રાજુગીરી ભેમગીરી ગૌસ્વામી, રાધા કૃષ્ણમંદીરના પૂજારી જલારામ જોષી, સરપંચ ગાંડાજી વાઘેલા, પુર્વ સરપંચ વિજૂભા રણજીતસિંહજી, પુર્વ ડેપ્યુટી સરપંચ બનેસિંહ, બચુભા બી.કે.વાઘેલા, ભારમલ ભગત, ડેપ્યુટી સરપંચ મદારસિંહ ઝાલા, ડાહ્યાભાઇ નાયી અને રમેશજી ગમાજી સહિતના આગેવાનોએ મહાઆરતીનો લ્હાવો લીધો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે મહાશિવરાત્રિએ શિવમંદિરમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. મહાઆરતીમાં ભાવિકભક્તો દ્રારા બિલી પત્ર, પંચામૃત, ફુલ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે રાત્રે 12 વાગે શંખનાદ કરી મહા શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથ શંભુની મહાઆરતી બાદ ભાંગનો પ્રસાદ ધરાવ્યો હતો. જોકે પ્રથમ શિવજીના ચરણોમાં સમર્પિત કરી ભક્તોને હથેળીમાં ભાંગનો પ્રસાદ વહેંચવામાં આવે છે ત્યારે લોકો પ્રસાદ લઈ ધન્યતાનો અનુભવ કરતા હોય છે.