ધાર્મિક@સોમનાથ: મંદિર પરિસરમાં પાર્વતી મંદિર બનશે, PM મોદી 20 ઓગસ્ટે કરશે શિલાન્યાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય પ્રવાસન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવિત્ર શ્રાવણ માસની 20 ઓગસ્ટે સોમનાથની આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે. આ સાથે જ વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસરની ચારે બાજુ બનાવવામાં આવેલા પરિપથનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન પ્લેટફોર્મ પર
 
ધાર્મિક@સોમનાથ: મંદિર પરિસરમાં પાર્વતી મંદિર બનશે, PM મોદી 20 ઓગસ્ટે કરશે શિલાન્યાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય પ્રવાસન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવિત્ર શ્રાવણ માસની 20 ઓગસ્ટે સોમનાથની આદ્યા શક્તિ દેવી પાર્વતી મંદિરનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે. આ સાથે જ વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસરની ચારે બાજુ બનાવવામાં આવેલા પરિપથનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઈન પ્લેટફોર્મ પર સોમનાથ એક પર્યટન સોમનાથ એક્ઝિબિશન સેન્ટર, નવીનીકરણ કરેલા જૂના સોમનાથ મંદિરના વિસ્તારનુ લોકાર્પણ કરશે અને રાષ્ટ્રને સર્મિપત કરશે. આ કામોનું લોકાર્પણ-શિલાન્‍યાસ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યાત્રાધામ સોમનાથ મંદિર યાત્રીઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહે એ હેતુસર કરોડોના ખર્ચે વિકાસકામો કેન્‍દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યાં છે. જેમાં સોમનાથ મંદિર સમીપે સમુદ્રકિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ તથા જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતાં (અહિલ્યાબાઇ મંદિર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા) પરિસરનાં વિકાસકામનું લોકાર્પણ કરવાનું તેમજ આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનારા પાર્વતી મંદિરનું સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્‍યુઅલ લોકાર્પણ-શિલાન્‍યાસ વિધિ થશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાર્વતી મંદિર અંદાજે રૂ.30 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જે સોમપુરા સલાટ શૈલીથી બનાવાશે. 380 સ્કવેર મીટરનો ગર્ભ ગૃહ અને 1250 સ્ક્વેર મીટરનો નૃત્ય મંડપ પણ બનાવાશે. ઉદ્ઘાટન અને શિલાન્યાસના આ કાર્યક્રમ સમયે કેન્દ્રીયગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રવાસનપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારની પ્રસાદ (પિલગ્રીમ રિજુવેનેશન એન્ડ સ્પિરીચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ) યોજના હેઠળ આ માટે તમામ નાણાકીય મદદ કરવામાં આવશે.