ધાર્મિકઃ આજે સર્વપિતૃ અમાસ, પિતૃઓના વિશેષ આશિર્વાદ મેળવવા માટે જરૂર કરો આ કામ

અટલ સમાચાર, ડેસ્ક 15 દિવસના પિતૃ પક્ષ પછી સર્વ પિતુ અમાવસ્યા આવે છે. આ દિવસે શ્રાદ્ધ-તર્પણ કરવાથી પૂર્વજો એક વર્ષ સુધી તૃપ્ત થઇ જાય છે. આજે (6 ઓક્ટોબર, 2021) સર્વ પિતુ અમાવસ્યા 2021 પર, 3 વિશેષ શુભ યોગ બની રહ્યાં છે. આ સિવાય, આજે બુધવાર પણ છે અને જ્યોતિષ શાસ્ત્રમાં, બુધવારે આવતી અમાસ ખૂબ જ
 
ધાર્મિકઃ આજે સર્વપિતૃ અમાસ, પિતૃઓના વિશેષ આશિર્વાદ મેળવવા માટે જરૂર કરો આ કામ

અટલ સમાચાર, ડેસ્ક

15 દિવસના પિતૃ પક્ષ પછી સર્વ પિતુ અમાવસ્યા આવે છે. આ દિવસે શ્રાદ્ધ-તર્પણ કરવાથી પૂર્વજો એક વર્ષ સુધી તૃપ્ત થઇ જાય છે. આજે (6 ઓક્ટોબર, 2021) સર્વ પિતુ અમાવસ્યા 2021 પર, 3 વિશેષ શુભ યોગ બની રહ્યાં છે. આ સિવાય, આજે બુધવાર પણ છે અને જ્યોતિષ શાસ્ત્રમાં, બુધવારે આવતી અમાસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય આજે 3 શુભ યોગ પણ બની રહ્યાં છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા તર્પણ, દાન-પુણ્યનું ફળ અનેકગણું મળશે.

સર્વપિતૃ અમાવસ્યા પર હસ્ત નક્ષત્ર છે. આ સાથે સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ દિવસે સૂર્ય, ચંદ્ર, મંગળ અને બુધ એક જ રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં, સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય યોગ બનાવી રહ્યા છે અને ચંદ્ર અને મંગળ મળીને મહાલક્ષ્‍મી યોગ રચી રહ્યા છે. ગ્રહોની આ શુભ સ્થિતિ દાન કરવા માટે ખૂબ જ શુભ છે. આ દિવસે સ્નાનના પાણીમાં ગંગાજળ અથવા અન્ય કોઇ પવિત્ર નદીના જળ ભેળવીને સ્નાન કરો. આ પછી, પૂર્વજોનું તર્પણ કરીને દાન કરો. તેનાથી પિતૃદોષ પણ દૂર થશે અને પૂર્વજોના આશીર્વાદથી જીવનમાં સુખ આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે, ગરીબોને દાન આપવા ઉપરાંત ગાયને ઘાસ પણ ખવડાવો. આ સિવાય કૂતરા અને કાગડાને રોટલી ખવડાવો. એવું કહેવાય છે કે પૂર્વજો આ પ્રાણીઓ અને પક્ષીઓના રૂપમાં ધરતી પર આવે છે. બ્રાહ્મણને પણ ભેટ આપો. તેમજ જ્યારે પણ તમને દિવસ દરમિયાન સમય મળે ત્યારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.