રિપોર્ટ@બનાસકાંઠા: ગૌશાળાઓને આગામી 3 મહિના પૂરતી સહાયનો પરિપત્ર જાહેર
અટલ સમાચાર,પાલનપુર
કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે ગૌશાળાઓને આગામી 3 મહિના પૂરતી સહાયનો પરિપત્ર જાહેર કર્યો છે. આ તરફ કોરોના લોકડાઉન વખતના સમયગાળાની સહાય બાબતે કોઇ નિર્ણય નહી આવતાં કચવાટ ચાલી રહ્યો છે.
સરકાર દ્રારા હવે પછીના એટલે કે તા. 1લી ઓક્ટોબર 2020 થી 31 ડીસેમ્બર 2020 સુધી પ્રતિ દિન પશુ દીઠ રૂ.25ની રોકડ સહાય આપવાનો ઠરાવ કર્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળા-પાંજરાપોળોના સંચાલકોએ સહાય મુદ્દે ભારે આક્રોશિત અને રસ્તા રોક્યા બાદ સરકાર જાગી હોવાનું સામે આવ્યુ છે. ગત દિવસોએ નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક સકારાત્મક રહી હતી. જે બાદ આજે ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે ઠરાવ કરી ગૌશાળા-પાંજરાપોળોને હવે પછી 3 મહિના એટલે કે 1લી ઓક્ટોબર 2020 થી 31 ડીસેમ્બર 2020 સુધી (કુલ દિન-92) પ્રતિ દિન પશુ દીઠ રૂ.25ની રોકડ સહાય પશુ સહાય ચુકવવા પરિપત્ર કર્યો છે.