રીપોર્ટ@ભિલોડા: શંકરપુરા કંપામાં એકસાથે 13 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ

અટલ સમાચાર, ભિલોડા ભિલોડામાં આજે એકસાથે નવા તેર કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. તાલુકાના શંકરપુરા કંપામાં 13 લોકો કોરોના પોઝિટિવ આવતા ભિલોડા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યું છે. મોડાસાની એયુ ફાઈનાન્સ સ્મોલ બેંક અને ધનસુરાની બેંક ઓફ બરોડાના કર્મીઓ અને તેમના
 
રીપોર્ટ@ભિલોડા: શંકરપુરા કંપામાં એકસાથે 13 લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ

અટલ સમાચાર, ભિલોડા

ભિલોડામાં આજે એકસાથે નવા તેર કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. તાલુકાના શંકરપુરા કંપામાં 13 લોકો કોરોના પોઝિટિવ આવતા ભિલોડા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યું છે. મોડાસાની એયુ ફાઈનાન્સ સ્મોલ બેંક અને ધનસુરાની બેંક ઓફ બરોડાના કર્મીઓ અને તેમના પરિવારજનો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડાના શંકરપુરા કંપા વિસ્તારમાં આજે એકસાથે નવા 13 કેસ સામે આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓના એકદમ નજીકથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરાઇ છે. શંકરપુરા કંપા ગામમાં નોંધાયેલા 13 કોરોના પોઝિટિવ દર્દીઓમાં એક જ પરિવારના 5 થી વધુ અને અન્ય પરિવાર સંક્રમિત હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી હતી.