રીપોર્ટ@ચાણસ્મા: સુજલામ-સુફલામ અંતર્ગત આ તળાવની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો થશે
અટલ સમાચાર ડોટ કોમ, ચાણસ્મા
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવ પાસે આજે મુખ્યમંત્રીએ ભૂમિપૂજન કરી સુજલામ-સુફલામ જળ અભિયાન-2021નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જળસંચયના આ અભિયાન અંતર્ગત વડાવલી તળાવની સંગ્રહશક્તિમાં 50,000 ઘનમીટર જેટલો વધારો થશે. જેમાં તળાવની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો કરવામાં આવશે. આ કામગીરી બાદ તળાવની કુલ ક્ષમતા 1,24,700 ઘનમીટર જેટલી થશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવની ક્ષમતામાં હવે 66 ટકા જેટલો વધારો થશે. ચાણસ્મા તાલુકાના સરવે નં.1619 પૈકી 1માં આવેલું આ તળાવ 7.47 હેક્ટર વિસ્તારમાં આવેલું છે. એટલે કે 74,700 ચો.મી. વિસ્તારમાં સરેરાશ એક મીટરની ઉંડાઈ ધરાવતા આ તળાવની હાલની સંગ્રહશક્તિ 74,700 ઘનમીટર છે. સુજલામ સુફલામ જળ અભિયાન-2021 અંતર્ગત તળાવના આગળ આવેલા ઉંચાણવાળા ભાગને સરેરાશ 02 મીટર જેટલો ઉંડો કરી 50,000 ઘનમીટર કરતાં વધારે ખોદાણ કરી તેની ક્ષમતામાં 66 ટકા જેટલો વધારો કરવામાં આવશે.