રિપોર્ટ@દેશઃ એક જ દિવસમાં 18,653 કેસ, 507ના મોત, કુલ દર્દી 5.85 લાખ

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 18,653 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 507 દર્દીઓએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ ગઈકાલે 418 દર્દીઓનાં મોત
 
રિપોર્ટ@દેશઃ એક જ દિવસમાં 18,653 કેસ, 507ના મોત, કુલ દર્દી 5.85 લાખ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 18,653 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 507 દર્દીઓએ પોતાનાં જીવ ગુમાવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ ગઈકાલે 418 દર્દીઓનાં મોત થયા હતા જ્યારે આજે તે આંકડો 500ને પાર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5 લાખ 85 હજાર 493 કન્ફર્મ કેસ નોંધાઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે 2 લાખ 20 હજાર 114 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 17,400 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 3 લાખ 47 હજાર 979 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાની વાત કરીએ તો વર્લ્ડોમીટરના આંકડા મુજબ વિશ્વભરમાં આ જીવલેણ વાયરસે તબાહી મચાવેલી છે. અત્યાર સુધીમાં કુલ 1,05,90,724 કેસ નોંધાયા છે. જ્યારે 5,14,020 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે 57,98,270 લોકો સાજા પણ થઈ ગયા છે.