રીપોર્ટ@દેશ: તૌક્તે બાદ આવી રહ્યું છે બીજુ વાવાઝોડું, જાણો ક્યારે અને ક્યાં ટકરાશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક દેશના પશ્ચિમી દરિયા કિનારા પર તૌકતેના કેર બાદ હવે પૂર્વી દરિયા કિનારા પર યાસ નામનું નવું તોફાન સર્જાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર જેનામનીએ જણાવ્યું કે, આંદોમાનના ઉત્તરીય ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં યાસ નામનું બીજું એક વાવોઝોડું સર્જાઈ રહ્યું છે. 22 મેના દિવસે લો પ્રેશર
 
રીપોર્ટ@દેશ: તૌક્તે બાદ આવી રહ્યું છે બીજુ વાવાઝોડું, જાણો ક્યારે અને ક્યાં ટકરાશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશના પશ્ચિમી દરિયા કિનારા પર તૌકતેના કેર બાદ હવે પૂર્વી દરિયા કિનારા પર યાસ નામનું નવું તોફાન સર્જાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રાજેન્દ્ર કુમાર જેનામનીએ જણાવ્યું કે, આંદોમાનના ઉત્તરીય ભાગ અને પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં યાસ નામનું બીજું એક વાવોઝોડું સર્જાઈ રહ્યું છે. 22 મેના દિવસે લો પ્રેશર અને 23 મીએ ડિપ્રેશન શરુ થશે. 24 અને 25 મેના રોજ યાસ ચક્રવાતી તોફાન બની જશે. તથા 26 મે ની આસપાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે તથા ત્યાં ભારે વરસાદ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

26 મે ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં આવનારુ વાવાઝોડાને યાસ નામ અપાયું છે અને તે ઓમને આપ્યું છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી એમ.રાજીવને જણાવ્યું કે 23 મે ના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી સર્જાશે. તે ચક્રવાતમાં ફેરવાશે અને ઓડિશા તથા પશ્ચિમ બંગાળ પર ત્રાટકશે. યાસ વાવાઝોડોને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને આસામ પર અસર પડશે. ગુજરાત પર તેની નહિવત અસર થવાની ધારણા છે.

સમગ્ર મામલે MET અમદાવાદના પ્રભારી ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, તૌકતે હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસે છે અને ત્યાંથી તે યુપી જતું રહેશે. ગુજરાતમાં હાલમાં સામાન્ય સ્થિતિ છે. કેટલાક ઠેકાણે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ચક્રવાતને કારણે ચોમાસા પર કોઈ અસર નહીં પડે. રાજધાની દિલ્હીમાં તૌકતેની અસરને કારણે જનપથમાં હળવો વરસાદ પડ્યો છે. જોકે હાલમાં રાજસ્થાનના ઉદયપુર પાસે રહેલા તૌકતને શક્તિ ખૂબ નબળી પડી ગઇ છે.