રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 367 કેસ નોંધાયા, કુલ 15,572

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 15,572 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 22 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 454 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અટલ સમાચાર આપના
 
રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 367 કેસ નોંધાયા, કુલ 15,572

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 15,572 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 22 દર્દીનાં મોત થયા છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાંથી 454 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગઇકાલે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 247, સુરતમાં 44 વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છમાં 7, રાજકોટમાં 7, ગાંધીનગરમાં 4, આણંદ, પંચમહાલમાં 2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, જુનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 કેસ એમ રાજ્યમાં કુલ 367 નવા કેસ નોંધાયેલ છે જેની સામે 454 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવેલ છે. આમ, હાલ રાજ્યમાં કુલ 6611 એક્ટીવ કેસ છે. જેમાં 76 વેન્ટિલેટર ઉપર છે. જ્યારે 6535 સ્ટેબલ છે.

ગુરુવારે થયેલા મોત અમદાવાદમાં 16, વડોદરામાં 3 કચ્છ, પાટણ, અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થતા આજે 22 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 960 મોત થયા છે. ગુરુવારે રાજ્યમાં કુલ 454 દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. જેમાં અમદાવાદ જીલ્લામાંથી સૌથી વધુ 381 દર્દીઓ અને ત્યારબાદ સુરત જીલ્લામાંથી 21 દર્દીઓને રજા આપવામાં આવેલ છે.