રીપોર્ટ@ગુજરાત: સરદારધામ બિલ્ડિંગનું ઉદ્ઘાટન અને AIIMSનું ભૂમિપૂજન PMના હસ્તે થઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે જાન્યુઆરીમાં ફરી એકવાર પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. વડાપ્રધાન ભાજપની પરંપરાગત વૉટબેંક એવા પાટીદાર સમાજની સંસ્થા ‘સરદાર ધામ’ના નવ નિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા આવી શકે છે. સરદાર ધામ દ્વારા આગામી જાન્યુઆરી માસના બીજા સપ્તાહનો સમય માંગવામાં આવ્યો છે. આ તરફ રાજકોટ શહેરને AIMS તો આપી દીધી છે
 
રીપોર્ટ@ગુજરાત: સરદારધામ બિલ્ડિંગનું ઉદ્ઘાટન અને AIIMSનું ભૂમિપૂજન PMના હસ્તે થઇ શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે જાન્યુઆરીમાં ફરી એકવાર પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. વડાપ્રધાન ભાજપની પરંપરાગત વૉટબેંક એવા પાટીદાર સમાજની સંસ્થા ‘સરદાર ધામ’ના નવ નિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા આવી શકે છે. સરદાર ધામ દ્વારા આગામી જાન્યુઆરી માસના બીજા સપ્તાહનો સમય માંગવામાં આવ્યો છે. આ તરફ રાજકોટ શહેરને AIMS તો આપી દીધી છે પરંતુ તેનું ભૂમિપૂજન હજુ સુધી નથી થયું. આથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજકોટ AIIMSનું ભૂમિપૂજન કરવામાં આવી શકે છે. જેમાં પણ પ્રધાનમંત્રી ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જઇ રહી છે. આ તરફ વડાપ્રધાન મોદી ડીસેમ્બર બાદ ફરી જાન્યુઆરી માસમાં ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે. વર્ષ 2022ની વિધાનસભાની પૂર્વે તૈયારીના ભાગરૂપે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તમામ બેઠકો પર જીત મેળવાનો પ્લાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઘડી દીધો છે.

રીપોર્ટ@ગુજરાત: સરદારધામ બિલ્ડિંગનું ઉદ્ઘાટન અને AIIMSનું ભૂમિપૂજન PMના હસ્તે થઇ શકે
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સરદાર ધામ દ્વારા વડાપ્રધાન પાસે આગામી જાન્યુઆરી માસના બીજા સપ્તાહનો સમય માંગવામાં આવ્યો છે. જેમાં પાટીદાર સમાજની સંસ્થા ‘સરદાર ધામ’ના નવ નિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા માટે આવી શકે છે. આ સાથે રાજકોટ શહેરમાં AIMSનું ભૂમિપૂજન પ્રધાનમંત્રીના હસ્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કરવામાં આવી શકે છે.

નોંધનિય છે કે, પીએમ મોદીનો પ્રવાસ કચ્છ-સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને ઉત્તર ગુજરાતના 8 જિલ્લાને અસર કરવાનો છે. જેના પરિણામે વર્ષે 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત થઈ હતી તે નબળી થશે અને ભારતીય જનતા પાર્ટીને તેનો સીધો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી માસના ગુજરાત પ્રવાસ દરમ્યાન સરદાર ધામ અને AIIMS ઉપરાંત અન્ય વિકાસલક્ષી પ્રોજેકટનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે. આ તમામનો સીધો ફાયદો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થશે.