રીપોર્ટ@ગુજરાત: ઇન્ટર્ન તબીબો, HTAT આચાર્યો, LRD ઉમેદવારો અને વિદ્યાર્થીઓ હડતાલ પર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં આજનો સોમવાર જાણે વિરોધનો સોમવાર સાબિત થયો હોય તેમ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. જેમાં આજે HTAT હિતરક્ષક સમિતિ દ્વારા સરકાર સામે આંદોલન, સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થીઓની હડતાલ સહિતના આજે વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજાયા છે. અટલ સમાચાર
 
રીપોર્ટ@ગુજરાત: ઇન્ટર્ન તબીબો, HTAT આચાર્યો, LRD ઉમેદવારો અને વિદ્યાર્થીઓ હડતાલ પર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આજનો સોમવાર જાણે વિરોધનો સોમવાર સાબિત થયો હોય તેમ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. જેમાં આજે HTAT હિતરક્ષક સમિતિ દ્વારા સરકાર સામે આંદોલન, સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માંગ સાથે ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલ, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થીઓની હડતાલ સહિતના આજે વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાકાળ વચ્ચે આજે સોમવારે જાણે વિરોધની વણઝાર જામી હોય તેવી સ્થિતિ સામે આવી છે. સ્ટાઇપેન્ડ અને માનદ વેતનના વધારાની માગ સાથે ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. આ સાથે 4200ની જગ્યાએ 4400 ગ્રેડ-પેની માગ સાથે HTAT આચાર્યો આંદોલન પર ઉતર્યા છે. LRD ભરતી આંદોલન મુદ્દે ઉમેદવારો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. પાટણની હેમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા લેવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. જ્યારે દિલ્હીમાં કૃષિ કાયદો નાબૂદ કરવાની માગ સાથે ખેડૂતો અનશન પર ઉતર્યા છે.

રીપોર્ટ@ગુજરાત: ઇન્ટર્ન તબીબો, HTAT આચાર્યો, LRD ઉમેદવારો અને વિદ્યાર્થીઓ હડતાલ પર

ગુજરાતમાં આજે ઇન્ટર્ન ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર છે. રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટર્સ રૂ.20,000 સ્ટાઇપેન્ડની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. HTAT હિતરક્ષક સમિતિ દ્વારા ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં HTAT આચાર્યો આંદોલન પર ઉતર્યા છે. 4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવા માંગ સાથે વિરોધ કર્યો છે. LRD ભરતી આંદોલન ઉમેદવારો મંજૂરી વગર સેન્ટ્રલ વિસ્ટામાં એકઠા થતાં તેમની સામે ગાંધીનગર પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, HTAT હિત રક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અલ્ટીમેટમ આપ્યા બાદ માંગણીઓ હલ ના થતા HTAT આચાર્યો ધરણા કાર્યક્રમના માર્ગે વળ્યા છે. પરંતુ ધરણાં કરે તે પહેલા ગાંધી આશ્રમ પાસેથી પોલીસ દ્વારા તમામ આંદોલનકારીઓની અટકાયત કરાઈ છે. પોતાના પડતર પ્રશ્નો હલ ના થતા એચટાટ આચાર્યો આંદોલનના માર્ગે આવ્યા છે.