રીપોર્ટ@ગુજરાત: કોરોનાના ખર્ચને પહોંચી વળવાની જવાબદારી કલેક્ટરોના શીરે ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે રાજ્ય સરકારે અનેક તૈયારીઓ કરી દીધી છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાની એક મોટી જવાબદારી જિલ્લા કલેક્ટરોને આપી છે. કોરોના મહામારીના નિયંત્રણ અને સારવારની વ્યવસ્થા પાછળ થતા ખર્ચને પહોંચી વળવા રાજ્ય સરકારે જિલ્લાના ખર્ચની જવાબદારી જે તે જિલ્લા કલેક્ટરોને આપી દીધી છે. દાતાઓ, ખાનગી કંપનીઓ અને
 
રીપોર્ટ@ગુજરાત: કોરોનાના ખર્ચને પહોંચી વળવાની જવાબદારી કલેક્ટરોના શીરે ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે રાજ્ય સરકારે અનેક તૈયારીઓ કરી દીધી છે. ત્યારે રાજ્ય સરકારે કોરોનાની એક મોટી જવાબદારી જિલ્લા કલેક્ટરોને આપી છે. કોરોના મહામારીના નિયંત્રણ અને સારવારની વ્યવસ્થા પાછળ થતા ખર્ચને પહોંચી વળવા રાજ્ય સરકારે જિલ્લાના ખર્ચની જવાબદારી જે તે જિલ્લા કલેક્ટરોને આપી દીધી છે. દાતાઓ, ખાનગી કંપનીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી ફંડ મેળવીને જરૂરિયાત મુજબની વ્યવસ્થા માટે દરેક જિલ્લામાં સીએસઆર ફંડની રચના કરવાના આદેશ કરાયો છે. ફંડ માટે અલગથી બેંક એકાઉન્ટ ખોલાવવા તથા તેમાંથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. દાતાઓ પાસેથી ફંડ મેળવવાની જવાબદારી પણ જે તે જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી મુજબ, જિલ્લા કક્ષાની સમિતિમાં કલેક્ટર અધ્યક્ષ, ડીડીઓ સહ અધ્યક્ષ જ્યારે જિલ્લા આયોજન અધિકારી, તિજોરી અધિકારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સભ્ય તરીકે અને નિવાસી અધિક કલેક્ટર સભ્ય સચિવ તરીકે રહેશે. ઉદ્યોગ વિભાગે કરેલા ઠરાવ મુજબ, કોરોનાની મહામારી, કુદરતી આફત કે આકસ્મિક મુશ્કેલીના સમયે ઊભી થતી કામગીરીને પહોંચી વળવા સીએસઆર ફંડની રચના કરવામાં આવી છે. કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોને આ હેતુ માટે, એક અલગ સીએસઆર ફંડ ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ફંડ માટે અલગથી બેંકમાં ખાતું ખોલાવવા અને તેમાંથી કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવી છે. જનસેવા કેન્દ્રો ખાતે યુઝર ચાર્જીસની આવકના ભંડોળમાંથી સેવા વિષયક ખર્ચ કરવા રચાયેલી જિલ્લા ઇ-સેવા સોસાયટીને સીએસઆર અમલીકરણની કામગીરી કરવા માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રાજ્ય સરકારે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન, વેન્ટીલેટર સહિતનાં મહત્ત્વનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારે મોટો ખર્ચ કરવો પડ્યો છે. જેથી હવે કોરનાના ખર્ચ માટે જિલ્લા કલેક્ટર દાતા પાસેથી પણ ફંડ લેશે.