રીપોર્ટ@ગુજરાત: ધો.9થી 12નાં વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા વાલીએ કેવી સંમતિ આપવી પડશે ?

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સરકારે આગામી 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ ખોલવાનો નિર્ણય કરી લીધો છે. જેના પગલે હવે ખાનગી અને સરકારી શાળાઓએ પણ 23મીથી વિદ્યાર્થીઓને શાળાઓ બોલાવવાની તૈયારીઓ કરી લીધી છે. જેના પગલે શાળાઓએ વાલીઓને મેસેજ કરી શાળાએ મોકલવા અંગે અભિપ્રાય અને સંમતિપત્રક મોકલી સંમતિ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અટલ
 
રીપોર્ટ@ગુજરાત: ધો.9થી 12નાં વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા વાલીએ કેવી સંમતિ આપવી પડશે ?

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સરકારે આગામી 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ ખોલવાનો નિર્ણય કરી લીધો છે. જેના પગલે હવે ખાનગી અને સરકારી શાળાઓએ પણ 23મીથી વિદ્યાર્થીઓને શાળાઓ બોલાવવાની તૈયારીઓ કરી લીધી છે. જેના પગલે શાળાઓએ વાલીઓને મેસેજ કરી શાળાએ મોકલવા અંગે અભિપ્રાય અને સંમતિપત્રક મોકલી સંમતિ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સોમવારથી શરૂ થતી શાળામાં મોકલતાં પહેલાં વાલીઓ તરફથી સંમતિપત્રક ભરી આપવાનું રહેશે. વાલીઓ તરફથી મળતી વિગતો પછી શાળાઓ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કે વર્ગોની ફાળવણીની તૈયારીઓ કરી શકશે. 23 નવેમ્બરથી શાળાઓમાં ધોરણ 9થી ધોરણ 12 ના વર્ગો શરૂ થઈ રહ્યા છે. ત્યારે શું તમે તમારા બાળકને શાળાએ મોકલવા માંગો છો તે માટેની વાલીઓએ શાળાએ એક સંમતિપત્રક ભરીને આપવું પડશે.

સૂત્રોએ જણાવ્યુ હતું કે, સંમતિ પત્રમાં બાળકનો હાજરી નંબર હોવાની સાથે બાળકનું નામ, શાળાનું નામ તેમજ વિગત લખવામાં આવી છે કે, રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની 9-11-20એ રાજ્ય સરકારની કેબીનેટની બેઠકમાં લેવાયેલ નિર્ણયના અનુસંધાનમાં શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત મુજબ SOPને ધ્યાને રાખીને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય માટે શાળામાં, 23/11/20, સોમવારથી આવવા માટે જે ગાઈડલાઈન જાહેર કરેલી છે. તે મુજબ હું મારા બાળકને શાળાએ અભ્યાસ માટે મારા જોખમે અને મારી ઇચ્છાથી જવાની સંમતિ આપું છું. મારુ બાળક સોશિયલ ડિસ્ટનસ, માસ્ક અને સેનિટાઈઝર અને SMSના નિયમોનો સંપૂર્ણ અમલ કરશે. શાળા તરફથી વિદ્યાર્થીને અભ્યાસ અર્થે ફરજીયાત આવવા માટે ફરજ પાડેલ નથી. અભ્યાસ દરમિયાન બાળક કોરોના સંક્રમિત થશે તો તે માટે શાળાના સંચાલક મંડળ, શાળાના આચાર્ય કે શાળાના કોઇપણ સ્ટાફ જવાબદાર રહેશે નહીં. તે બદલ આ સંમતિ પત્ર લખી આપું છું.

નોંધનિય છે કે, સંમતિ પત્રમાં નીચે તારીખ અને વાલીએ સહી કરવાની રહેશે. વાલીઓ પાસેથી શાળાએ બાળકને મોકલવા તૈયાર છે કે નહીં તેનો અભિપ્રાય પણ માંગવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, કોરોનાના બીજા રાઉન્ડ વચ્ચે આગામી 23મી તારીખથી શાળાઓ શરૂ કરવા અને બાળકોને શાળાએ મોકલવા હજુ પણ ઘણા વાલીઓ ડરી રહ્યા છે. અને ઘણા વાલીઓ થોડા સમય રાહ જોવાના મૂડમાં જણાઈ રહ્યા છે.