રીપોર્ટ@મહેસાણા: અભિનેતા નરેશ કનોડિયાની તબિયત નાજૂક, વેન્ટિલેટર ઉપર લેવાયા
અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)
કોરોનાકાળમાં નેતા-અભિનેતાઓ સહિત કેટલાય લોકો સંક્રમિત બન્યા છે. આ તરફ મહેસાણા જીલ્લાના વતની અને હાલ ગાંધીનગર રહેતાં ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા સંક્રમિત બન્યા હતા. જોકે આજે સવારે તેમનું ઓક્સિજન લેવલ ઓછુ થઇ જતાં તેમને વેન્ટિલેટર ઉપર લેવાયા છે. દિગ્ગજ અભિનેતાને કોરોના થતાં તેમના ચાહકો સહિતના સારા સ્વાસ્થયની કામના કરી રહ્યા છે. આ તરફ તેમના પુત્ર હિતુ કનોડીયાએ પણ લોકોને તેમના સારા સ્વાસ્થયની પ્રાર્થના કરવા લોકોને અપીલ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા તાલુકાના કનોડા ગામના વતની અને દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા કોરોના સંક્રમિત બન્યા છે. હાલ ગાંધીનગર સેક્ટર-૮માં રહેતાં 77 વર્ષિય નરેશ કનોડિયા કોરોના સંક્રમિત બનતાં તેમને સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ તરફ આજે સવારે તેમનું ઓક્સિજન લેવલ ઓછુ થતાં તાત્કાલિક તેમને વેન્ટિલેટર ઉપર ખસેડાયા હોવાનું હોસ્પિટલના સુત્રોએ જણાવ્યુ છે. આ તરફ તેમનું ઓક્સિજન લેવા ૯૫થી ઉપર ના આવે ત્યાં સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી શકે છે. હાલની સ્થિતિએ તબિબો સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
સમગ્ર મામલે નરેશ કનોડિયાના પુત્ર અને ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયાએ અટલ સમાચાર સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતુ કે, પપ્પાને કોરોના વાયરસના લક્ષણો દેખાતાં રિપોર્ટ કરાવ્યો હતો. ત્યારબાદ સિટી સ્કેન દરમ્યાન કોરોના વાયરસ હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
અભિનેતાને કોરોના થતાં તેમના ચાહકો પણ તેમના સારા સ્વાસ્થયની પ્રાર્થના કરી રહ્યા છે. આ તરફ તેમના નજીકના મનાતાં વિજાપુરડા રાજલધામના પ્રવિણમાડીએ પણ તેઓ જલદીથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરી છે.