રીપોર્ટ@પોરબંદર: ફિલ્મ અભિનેતા આમિરખાન લગ્નની વર્ષગાંઠ ઉજવવા પરિવાર સાથે સાસણગીરમાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોનાકાળ વચ્ચે બોલિવૂડ ફિલ્મ અભિનેતા આમિરખાન લગ્નની વર્ષગાંઠ ઉજવવા પરિવાર સાથે સાસણગીર પહોંચ્યા છે. ગઇકાલે સાંજે પોરબંદર એરપોર્ટ પર આમિર ખાન અને તેનો પરિવાર ચાર્ટર ફ્લાઈટ દ્વારા પહોંચ્યો હતો. આ તરફ આજે વહેલી સવારે આમિર ખાન પોતાના પરિવાર સાથે પ્રથમ ટ્રીપમાં ગીર સેન્ચ્યૂરીમાં સિંહ દર્શન કરવા ગયા હતા. જ્યાં આમિર ખાનને જોવા માટે મોટી સંખ્યામાં તેના ચાહકો એકઠા થયા હતા. આમિર ખાન લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી કરવા પત્ની કિરણ રાવ અને સંતાનો સહિત સાસણ ફરવા આવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બોલિવૂડ ફિલ્મ અભિનેતા આમિરખાન પરિવાર સાથે ગુજરાત પ્રવાસે આવ્યા છે. લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી કરવા આમિર ખાન અને તેમનો પરિવાર સાસણ ગીરમાં ફરવા માટે આવ્યો છે. ગઇકાલે 11 વાગ્યે આમિર ખાન અને તેનો પરિવાર પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. હાલ આમિર ખાન અને તેનો પરિવાર ગીર જંગલમાં ફરવા માટે રવાના થયો છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, આમિરખાન તેની પત્ની કિરણ રાવ તેમજ પુત્ર આઝાદ, પુત્રી ઈરાખાન, એક્ટર ઈમરાનખાનની પુત્રી ઈમારા સહિત પરિવારજનો સાથે શનિવારે ખાસ ચાર્ટડ પ્લેન દ્વારા મુંબઈથી પોરબંદર આવી પહોંચ્યા હતાં.
58 સભ્યોના આ ખાસ ચાર્ટડ પ્લેનમાં તેમના પરિવારજનો ઉપરાંત તેમનો સ્ટાફ પણ સાથે જોડાયો હતો. પોરબંદરના એરપોર્ટ ઉપર 30 મિનિટનું રોકાણ કર્યા બાદ 4 લકઝુરીયસ કાર અને એક બસમાં આ કાફલો સાસણ જવા રવાના થયો હતો.