રીપોર્ટ@થરાદ: ગૌશાળામાં વીજલાઇનને કારણે ભિષણ આગ, મોટા નુકશાનની આશંકા

અટલ સમાચાર, થરાદ થરાદ તાલુકાના ગામે આજે મોડીસાંજે અચાનક એક ગૌશાળામાં આગળની ઘટના સામે આવતાં ચકચાર મચી યઇ છે. અચાનક આગ લાગતાં સ્થાનિકો સહિત આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ આગમાં 1500 જેટલા ઘાસના પૂળા બળીને ખાખ થઇ જતાં ગૌશાળાને મોટા પ્રમાણનું નુકશાન થયુ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
રીપોર્ટ@થરાદ: ગૌશાળામાં વીજલાઇનને કારણે ભિષણ આગ, મોટા નુકશાનની આશંકા

અટલ સમાચાર, થરાદ

થરાદ તાલુકાના ગામે આજે મોડીસાંજે અચાનક એક ગૌશાળામાં આગળની ઘટના સામે આવતાં ચકચાર મચી યઇ છે. અચાનક આગ લાગતાં સ્થાનિકો સહિત આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ આગમાં 1500 જેટલા ઘાસના પૂળા બળીને ખાખ થઇ જતાં ગૌશાળાને મોટા પ્રમાણનું નુકશાન થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના કરબૂણ ગામે આવેલ શ્રીરામ ગૌશાળામાં આજે મોડી સાંજે અચાનક આગની ઘટના બની હતી. ગૌશાળામાં ગોડાઉન પાસેથી પસાર થતી વીજ લાઈનના કારણે અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી ગઈ હતી. આગ લાગતાં ગોડાઉનમાં પડેલા 1500 જેટલા ઘાસના પૂળા બળીને ખાખ થઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આગના કારણે 1500 જેટલાં ઘાસ ના પુરા બળી જતા અંદાજે પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.