રીપોર્ટ@વિજયનગર: AAP પાર્ટી દ્રારા પાલ-દઢવાવમાં હત્યાકાંડના શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ

અટલ સમાચાર ડોટ કોમ, વિજયનગર આગામી 2022ની વિભાનસભાની ચૂંટણીને લઇ અત્યારથી જ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. પાર્ટી દ્રારા જન સંવેદના મુલાકાતના દ્રિતિય ચરણમાં આજે સાબરકાંઠા જીલ્લામાં પાલ-દઢવાવમાં હત્યાકાંડના શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના દિગ્ગજોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અટલ સમાચાર
 
રીપોર્ટ@વિજયનગર: AAP પાર્ટી દ્રારા પાલ-દઢવાવમાં હત્યાકાંડના શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ

અટલ સમાચાર ડોટ કોમ, વિજયનગર

આગામી 2022ની વિભાનસભાની ચૂંટણીને લઇ અત્યારથી જ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. પાર્ટી દ્રારા જન સંવેદના મુલાકાતના દ્રિતિય ચરણમાં આજે સાબરકાંઠા જીલ્લામાં પાલ-દઢવાવમાં હત્યાકાંડના શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સહિતના દિગ્ગજોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠાના વિજયનગરના અંતરિયાળના પાલ-દઢવાવમાં બીજા જલિયાવાલા જેવી હત્યાકાંડની કરૂણ ઘટના આજથી 99 વર્ષ પહેલાં બની હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બ્રિટિશરોએ 1200થી વધુ નિર્દોષ આદિવાસીઓને બંદૂકની ગોળીએ વીંધી નાખતા હત્યાકાંડ સર્જાયો હતો. હત્યાકાંડમાં શહીદી વ્હોરનારની શહાદતને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.

રીપોર્ટ@વિજયનગર: AAP પાર્ટી દ્રારા પાલ-દઢવાવમાં હત્યાકાંડના શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ

વર્ષ 1922માં 7મી માર્ચના ગોઝારા દિવસે રાજસ્થાનના કોલીયારી ગામના કાર્યકર મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓ એકઠા થયા હતા. આ બેઠકમાં, અંગ્રેજો દ્વારા આદિવાસીઓ પર લાદવામાં આવતા કર અને શોષણ સામે અવાજ ઉઠાવવાની ચર્ચા થઈ હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા બ્રિટિશ અધિકારી સુરજી નિનામાના આદેશને પગલે અંગ્રેજ સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને 1200 થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા હતા.

સ્થાનિકોના જણાવ્યાં મુજબ આ હત્યાકાંડમાં લોકોએ પોતાનો જીવ બચાવવા પૂર્વ સરપંચ કામાજીભાઈ ડામોરના ઘરની પાસે આવેલા કૂવામાં કુદકો માર્યો હતો. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ આખો કૂવો શબ સાથે દફનાવવામાં આવ્યો હતો. હવે આ કૂવા પર એક સ્મારક બનાવવામાં આવ્યું છે. આજે અહીંના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી. જેમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, રમેશભાઇ નાભાણી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.