ઘટસ્ફોટ@દેશ: તો શું આ કારણે કેબિનેટ મંત્રી બન્યા બાદ જ્યોતિરાદિત્યએ કર્યા હતા કોંગ્રેસના વખાણ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયાએ શપથગ્રહણ કર્યાના કલાકોમાં તેમના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ થયેલા વીડિયોએ ભારે ચકચાર જગાવી હતી. જેમાં તેઓ કોંગ્રેસના વખાણ કરતાં નજરે પડી રહ્યા હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં હવે તેમનું એકાઉન્ટ કોઇએ હેક કર્યુ હોવાની વિગતો સામે આવી છે. આ તરફ એકાઉન્ટ હેક કરવા
 
ઘટસ્ફોટ@દેશ: તો શું આ કારણે કેબિનેટ મંત્રી બન્યા બાદ જ્યોતિરાદિત્યએ કર્યા હતા કોંગ્રેસના વખાણ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયાએ શપથગ્રહણ કર્યાના કલાકોમાં તેમના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ થયેલા વીડિયોએ ભારે ચકચાર જગાવી હતી. જેમાં તેઓ કોંગ્રેસના વખાણ કરતાં નજરે પડી રહ્યા હોવાનું સામે આવ્યુ હતુ. જે બાદમાં હવે તેમનું એકાઉન્ટ કોઇએ હેક કર્યુ હોવાની વિગતો સામે આવી છે. આ તરફ એકાઉન્ટ હેક કરવા અંગે કોઈ ફરિયાદ થઈ નથી. જ્યોતિરાદિત્યની ટીમના સભ્યોએ આ એકાઉન્ટને તરત જ રિકવર કરી લીધુ હતુ. એક હિન્દી અખબારના અહેવાલ પ્રમાણે રાત્રે એક વાગ્યે આ ઘટના બની હતી અને સિંધિયાની નજીકના લોકોએ આ વાતને સમર્થન આપ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જ્યોતિરાદિત્ય સિંધિયાના એકાઉન્ટ પરથી જે વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં તેઓ કોંગ્રેસના વખાણ કરતા જોઈ શકાય છે. જોકે એકાઉન્ટ કોણે હેક કર્યુ હતુ તેની જાણકારી હજી સુધી મળી શકી નથી. એક્સપર્ટની ટીમ આ બાબતની જાણકારી મેળવવાના પ્રયાસો કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, જ્યોતિરાદિત્યને જે વિભાગનો હવાલો અપાયો છે તે જ વિભાગ યુપીએ સરકારના સમયમાં તેમના પિતા પણ સંભાળી ચુકયા હતા. મંત્રી બનાવાયા બાદ જ્યોતિરાદિત્યના નિવાસ સ્થાને તેમના સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.