પુલવામા હૂમલાનો બદલોઃ જૈશ કમાન્ડર સજ્જાદ ભટને સેનાએ ઠાર કર્યો
અટલ સમાચાર, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળોએ મંગળવારે પુલવામા હુમલાનો બદલો પૂરી કરી છે. સુરક્ષા દળોએ પુલવામા આતંકી હુમલાનો મુખ્ય કાવતરાખોર પૈકીનો એક અને જૈશ કમાન્ડર સજ્જાદ ભટને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટરમાં એક અન્ય આતંકી પણ માર્યો ગયો છે.
14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં સજ્જાદ ભટની કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકીઓએ આ કારથી સીઆરપીએફના કાફલા પર બ્લાસ્ટ કર્યો હતો. સુરક્ષા દળોએ સજ્જાદ ઉપરાંત આઈઈડી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડને પણ ઠાર માર્યો છે. સુરક્ષા દળોનો દાવો છે કે આ પુલવામા હુમલામાં સામેલ છેલ્લો આતંકી હતો, જેને મારી નાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અનંતનાગ જિલ્લાના પુલવામામાં આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. આતંકીઓએ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.