રુલ્સ@ગુજરાતઃ વાહનચાલકોને આંશિક રાહત, સરકારે 15 દિવસનો સમય વધાર્યો

અટલ સમાચાર, ડેસ્ક વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે કેટલાક દિવસોની રાહત આપી છે. સરકારે કરેલી જાહેરાત મુજબ નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા આ નિયમ તારીખ 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો. હવે ગુજરાતમાં આ મુદત 15મી ઓક્ટોબર સુધી
 
રુલ્સ@ગુજરાતઃ વાહનચાલકોને આંશિક રાહત, સરકારે 15 દિવસનો સમય વધાર્યો

અટલ સમાચાર, ડેસ્ક

વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે કેટલાક દિવસોની રાહત આપી છે. સરકારે કરેલી જાહેરાત મુજબ નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા આ નિયમ તારીખ 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો હતો. હવે ગુજરાતમાં આ મુદત 15મી ઓક્ટોબર સુધી લંબાવી દેવાતાં કેટલાક દિવસો સુધી વાહનચાલકોને રાહત મળી છે. જે સાથે જરૂરિ ડોક્યુમેન્ટની પુરતી કરવાનો સમયગાળો મળી રહેશે.

વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, “આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ટૂંકી મુદતમાં હેલ્મેટ દુકાનોમાં કેવી રીતે ઉપલબ્ધ બનશે તેની ચર્ચા બાદ હેલ્મેટ અંગે નવા નિયમની અમલવારીમાં 15મી ઓક્ટોબર સુધી છૂટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. લોકો કામધંધા છોડીને PUC માટે લાંબી લાઈનોમાં લાગે છે તે સત્યનો સ્વીકાર કરી તેમાં પણ છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં 900 સેન્ટરો ખુલે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.”

ડિલરોએ ગ્રાહકને ફ્રી હેલ્મેટ પુરવાર કરશે

આ કેબિનેટમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવેથી રાજ્યના તમામ ટુ-વ્હીલર ડિલરોએ વાહન વેચવાની સાથે સાથે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર ફરજિયાત હેલ્મેટ આપવાનું રહેશે. આ માટે તેઓ કોઈ પણ ચાર્જ નહીં લઈ શકે. આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવશે. આ હેલ્મેટ ISI ગુણવત્તાવાળું હશે. “

વાહનવ્યવહાર મંત્રીની જાહેરાત પ્રમાણે ટ્રાફિકના નવા નિયમોના અમલની મર્યાદા જ વધારવામાં આવી છે. એટલે કે હાલમાં કોઈ વ્યક્તિ જો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો ટ્રાફિક પોલીસ જૂના નિયમ પ્રમાણે દંડ વસૂલશે.

મુખ્યમંત્રીના વાહનોને લઈને ખુલાસો

આ મામલે પત્રકાર પરિષદ સંબોધતા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, વિજય રૂપાણી તરફથી ઉપયોગમાં લેવામાં આવતા બંને વાહનો GJ18G 9085 અને GJ18G 9086 ડીજીપી અને આઈજીપી ભવનના નામે નોંધાયેલા છે. તેની રજીસ્ટ્રેશનની સમય મર્યાદા 15 વર્ષની છે. આથી તેમની સમયમર્યાદા અંગે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. 2029 સુધીની બંને વાહનોની વેલિડિટી છે. બંને વાહનોનો નેશનલ ઇન્શ્યોરન્સ કંપની મારફતે 31-12-2019 સુધીનો વીમો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલાના તમામ વાહનોના PUC સર્ટિફિકેટની મુદત 30-09-2019 સુધીની છે.”