ગંભીર@સુરત: શિક્ષક મારશે તેવા ડરથી કિશોરીએ આપઘાત કરતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક સુરતના કામરેજના કોસમાડા ગામમાં એક 13 વર્ષની દીકરીએ શિક્ષકના ડરથી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થિનીએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ પર લખી છે. વિદ્યાર્થિની સોમવારે સ્કૂલે ગઈ ન હોવાથી ક્લાસના અન્ય વિદ્યાર્થીઓએ સ્કૂલમાં શિક્ષક માર મારશે તેવો ડર બતાવતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાનું સ્યુસાઇડ નોટમાં જણાવ્યુ હતુ. ઘટનાને લઇ
 
ગંભીર@સુરત: શિક્ષક મારશે તેવા ડરથી કિશોરીએ આપઘાત કરતા ચકચાર

અટલ સમાચાર,ડેસ્ક

સુરતના કામરેજના કોસમાડા ગામમાં એક 13 વર્ષની દીકરીએ શિક્ષકના ડરથી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થિનીએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ પર લખી છે. વિદ્યાર્થિની સોમવારે સ્કૂલે ગઈ ન હોવાથી ક્લાસના અન્ય વિદ્યાર્થીઓએ સ્કૂલમાં શિક્ષક માર મારશે તેવો ડર બતાવતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાનું સ્યુસાઇડ નોટમાં જણાવ્યુ હતુ. ઘટનાને લઇ વિદ્યાર્થિનીના માતાપિતા અને નાની બહેનની આંખમાંથી આંસુ રોકવાનું નામ લેતા ન હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગંભીર@સુરત: શિક્ષક મારશે તેવા ડરથી કિશોરીએ આપઘાત કરતા ચકચાર

સુરત જીલ્લાના કામરેજના કોસમાડા ગામે અનિલ રાઠોડની ધોરણ સાતમાં અભ્યાસ કરતી સુહાનીએ ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. અનિલભાઈને સંતાનમાં 13 વર્ષની સુહાની અને 11 વર્ષની તેમજ ધોરણ પાંચમાં અભ્યાસ કરતી રાધા છે. સોમવારે સુહાનીને પેટમાં દુઃખતું હોવાથી તેણે સ્કૂલમાં રજા પાડી હતી. જે બાદમાં મંગળવારે તેણે પોતાના ઘરે લોખંડના એંગલ સાથે ઓઢણી બાંધીને આપઘાત કરી લીધો હતો. આપઘાત સમયે કિશોરીના માતાપિતા મજૂરા કામે ગયા હતા. સુહાની સવારે સ્કૂલે ગઈ હતી, જે બાદમાં સ્કૂલમાં પોતાની બેગ મૂકીને ઘરે આવી ગઈ હતી.

ગંભીર@સુરત: શિક્ષક મારશે તેવા ડરથી કિશોરીએ આપઘાત કરતા ચકચાર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, દીકરીએ આપઘાત કરી લીધાની જાણ કર્યા બાદ માતાપિતા તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. જે બાદમાં ઘરે તપાસ કરતી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે શાળાના બાળકો કહે છે કે શિક્ષક તેણીને મારવાના છે. આ મામલે કામરેજ પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આ મામલે મૃતક કિશોરીના નાની બેન રાધિકાએ જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં શિક્ષકો કોઈને મારતા નથી. મારી બહેનને સહપાઠીઓ ડરાવતા હતા તું સ્કૂલે નથી આવી એટલે તને શિક્ષક મારશે.

ગંભીર@સુરત: શિક્ષક મારશે તેવા ડરથી કિશોરીએ આપઘાત કરતા ચકચાર

સ્યુસાઇડ નોટમાં શું લખ્યું ?

મમ્મી-પપ્પા સોરી, બધા મને નિશાળમાં બીવરાવીયા કરતા હૈ, ને બધા કેય કે તને તીચર મારવાના હૈ, એટલે પપ્પા મેં નથી જીવવાની. પપ્પા તમારી એક પોરી રાધલી, રાધલીને કોઇ મારતુ ની. મારા સપના પૂરા કરજો.