સેવા@અમદાવાદ: લોકડાઉન વચ્ચે રોજ 7 હજારથી પણ વધુ લોકોને ભોજન

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ 14 એપ્રિલ સુધી લૉકડાઉનમાં છે. રાજ્યમાં મજૂરી કરીને વતનથી દૂર રહેતા લોકો લૉકડાઉનના આદેશના પગલે જ હિજરત કરી હતી. ત્યારબાદ સરકારે હિજરતીઓ ઉપર રોક લગાવતા અનેક મજૂરી કરતા લોકો શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું હતું. ગરીબોની સ્થિતિ વધુ વણસે નહીં તે માટે સેવાભાવી સંસ્થાઓ આગળ
 
સેવા@અમદાવાદ: લોકડાઉન વચ્ચે રોજ 7 હજારથી પણ વધુ લોકોને ભોજન

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ 14 એપ્રિલ સુધી લૉકડાઉનમાં છે. રાજ્યમાં મજૂરી કરીને વતનથી દૂર રહેતા લોકો લૉકડાઉનના આદેશના પગલે જ હિજરત કરી હતી. ત્યારબાદ સરકારે હિજરતીઓ ઉપર રોક લગાવતા અનેક મજૂરી કરતા લોકો શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું જીવન મુશ્કેલ બન્યું હતું. ગરીબોની સ્થિતિ વધુ વણસે નહીં તે માટે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી હતી ત્યારે આ કપરી પરિસ્થિતિમાં ગાંધીનગર પાસે આવેલા અડાલજ ‘ટહુકાની ચેહર’ ધામ દ્વારા ગરીબોને બે ટંક જમાડવામા આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટહુકાની ચેહર ધામમાં સેવા આપતા રાજદીપસિંહ ગોલએ કહ્યું કે, ચેહર માતાજીના ભુવાજી સતિષભાઈનાં આદેશથી રાજ્યમાં જ્યારથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારથી અહીંયા બે ટાઈમ રસોડું બનાવવામાં આવે છે. રોજ 7થી 10 હજાર લોકોનું ભોજન તૈયાર કરાય છે. દરરોજ અલગ અલગ ભોજન બનાવવામાં આવે છે. જ્યારે 5 હજાર કરતાં વધુ ખાદ્ય સામગ્રીની કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવી છે.

સેવા@અમદાવાદ: લોકડાઉન વચ્ચે રોજ 7 હજારથી પણ વધુ લોકોને ભોજન

દસ ગાડીઓ અમદાવાદ,ગાંધીનગર, કડી, કલોલ માણસા અને દહેગામ વિસ્તારમાં જરૂરિયાત મુજબ મોકલવામાં આવી છે. સેવાકીય કાર્યમાં અલગ-અલગ સમાજમાંથી આવતા 50 કરતા વધુ સેવાના ભેખધારી પોતાની નિષ્ઠાપૂર્વક સવારથી લઈને સાંજ સુધી ખડેપગે સેવા આપી રહ્યા છે. અમે અપીલ પણ કરીએ છીએ કે, ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબો સુધી સેવા પહોંચતી ન હોય તો જિલ્લા તંત્રમાં અમારો કોન્ટેક નંબર આપવામાં આવ્યો છે. જો અમારો સીધો સંપર્ક કરવામાં આવશે તો પણ તેમના સુધી મા ચેહરના પ્રસાદ સ્વરૂપે તેમને ભોજન પહોંચાડવામાં આવશે.