ગંભીર@દેશઃ કોરોનાથી અત્યારસુધીમાં 90,020 લોકોના મોત, કુલ 56.46 લાખ દર્દી
અટલ સમાચાર, ડેસ્ક
ભારતમાં સતત બીજા દિવસે કોવિડ-19થી સંક્રમિત થતા લોકોના આંકડામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ગઈકાલથી આ આંક વધુ છે. મંગળવારે 75 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા જ્યારે આજે આ આંકડામાં 6 હજારનો વધારો નોંધાયો છે. પરંતુ થોડી રાહતની વાત એ છે કે આંક 90 હજારને પાર નથી ગયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 83,347 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 1,085 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 56,46,011 થઈ ગઈ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 45 લાખ 87 હજાર 614 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,68,377 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 90,020 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 22 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 6,62,79,462 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના 24 કલાકમાં 9,53,683 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 22મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1402 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1321 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 16 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,26,169 એ પહોંચી ગયો છે.