નિવેદન@ગુજરાત: CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ બાદ તેમની તબિયત સ્થિર: DyCM

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને CM ની તબિયત અંગે સમાચાર આપ્યા હતા. ગઈકાલે CM વડોદરામાં ચક્કર ખાઈને પડી ગયા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ યુ એન મહેતા લવાયા હતા જ્યાં તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં આજે સવારે
 
નિવેદન@ગુજરાત: CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ બાદ તેમની તબિયત સ્થિર: DyCM

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને CM ની તબિયત અંગે સમાચાર આપ્યા હતા. ગઈકાલે CM વડોદરામાં ચક્કર ખાઈને પડી ગયા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ યુ એન મહેતા લવાયા હતા જ્યાં તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં આજે સવારે તેમનો RT-PCR ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિવેદન@ગુજરાત: CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ બાદ તેમની તબિયત સ્થિર: DyCM

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, હોસ્પિટલમાં કોરોનાના દર્દી તરીકે તેઓ સારવાર લઈ રહ્યા હોઇ હાલ તે સ્વસ્થ છે. તેમની રોજિદા જીવનની કસરતોને કારણે તેમને કોરોના હાની નહીં પહોંચાડે. સીએમ રૂપાણીને ડાયાબિટિસ કે બીજી કોઈ બીમારી નથી એટલે તેઓ જલદીથી કોરોના સામેની જંગ જીતી જશે. હાલ તેમની યુએન મહેતા હોસ્પિટલમાં યુધ્ધના ધોરણે સારવાર કરાઈ રહી છે. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. કોરોનાનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

નિવેદન@ગુજરાત: CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ બાદ તેમની તબિયત સ્થિર: DyCM
જાહેરાત