નિવેદન@ગુજરાત: હજુ પણ સ્થિતિ ખરાબ બને તો સરકારની આ તૈયારી: જાણો શું કહ્યુ મુખ્યમંત્રીએ ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે સીએમ રૂપાણીએ કલોલના ગામની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોનામુક્ત ગામ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. એવામાં આજે સીએમ રૂપાણીએ ગાંધીનગરના કલોલમાં એક ગામની મુલાકાત લીધી હતી. આરસોડિયા ગામમાં સીએમ રૂપાણીએ કહ્યું કે, જો ગુજરાતમાં હજુ પણ સ્થિતિ ખરાબ બને તો સરકારની તૈયારી છે. સરકારે રાજ્યની હોસ્પિટલોના એક લાખ બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં સાત લાખ રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મુખ્યમંત્રી રૂપાણીએ કલોલમાં મોટું નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં ઓક્સિજનની અછતથી કોઈનું મૃત્યુ થયું નથી. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં કેસ વધ્યા છે પરંતુ બેડ વગર લોકો હેરાન હોય તેવી સ્થિતિ નથી. રાજ્યમાં કોરોના કેસ ઘટતા જાય છે અને સરકારે ત્રીજી લહેરની તૈયારી પણ શરૂ કરી દીધી છે. સરકાર ઑક્સીજન અંગે મોનીટરીંગ કરી રહી છે.
આ સાથે CM રૂપાણીએ ફરી લોકોને ઘરમાં રહેવા સલાહ આપી હતી અને કહ્યું કે, કોરોના પડકારનો સામનો કરીશું. બીજી લહેરમાં આપણી પાસે વધારે વ્યવસ્થા છે. ઓક્સિજન છે ,રેમડેસિવિર છે અને ડોક્ટર છે અને પ્રથમ લહેરમા આપણી પાસે અટલી વ્યવસ્થા ન હતી. CM રૂપાણીએ લોકોને હિંમત અપાવતા કહ્યું હતું કે, જૉ ડર ગયા વો મર ગયા.