ટ્રેનના પાટા પર કેમ નથી લાગતો કાટ, આ કેવું લોખંડ છે જે પાણી પડ્યા પછી પણ ચમકે છે?

ભલે ટ્રેકની બાજુઓમાં કાટ દેખાય છે પણ એ પાટાની ટોચની બાજુ હંમેશા ચમકતી રહેશે આવું કેમ?

ઘણા લોકો માને છે કે ટ્રેનના પાટા લોખંડના બનેલા હોય છે પણ એવું નથી.

ટ્રેનના ટ્રેક ખાસ પ્રકારના સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેને મેંગેનીઝ સ્ટીલ કહેવામાં આવે છે

તેમાં 12 ટકા મેંગેનીઝ છે જ્યારે 0.8 ટકા કાર્બન છે

ટ્રેકના ઉપરના ભાગમાં આ સામગ્રીની હાજરીને કારણે આયનર ઓક્સાઇડનું સ્તર બનતું નથી.

જણાવી દઈએ કે જ્યારે આયર્ન હવામાં રહેલા ઓક્સિજન સાથે રીએક્શન કરે છે

ત્યારે આયર્નથી બનેલી વસ્તુઓ પર કાટ લાગી જાય છે.

હવા સાથે રીએક્શન કરતી વખતે, લોખંડ પર ભૂરા રંગનું સ્તર બને છે,

જે આયર્ન ઓક્સાઇડનું સ્તર છે. લોખંડમાં કાટ હંમેશા વધે છે પરંતુ ટ્રેનના પાટા સાથે આવું થતું નથી.