હડકંપ@થરા: દિકરીના મોતને લઈ સરકારી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર) થરાનીની રેફરલ હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. જેથી પરિવારજનો લાલઘુમ બની સરકારી ડોક્ટરો ઉપર રોષે ભરાયા હતા. મામલો ગંભીર હોઇ પરિવારજનોએ આખરે ડોકટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરોએ ખોટી દવા આપી બેદરકારી દાખવતા પુત્રીનું મોત થયાનો આરોપ લગાવ્યો છે. બનાસકાંઠા જીલ્લાની થરા રેફરલ હોસ્પિટલમાં ઇન્દ્રમણા ગામની 7 વર્ષની
 
હડકંપ@થરા: દિકરીના મોતને લઈ સરકારી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ

અટલ સમાચાર,કાંકરેજ (રામજી રાયગોર)

થરાનીની રેફરલ હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. જેથી પરિવારજનો લાલઘુમ બની સરકારી ડોક્ટરો ઉપર રોષે ભરાયા હતા. મામલો ગંભીર હોઇ પરિવારજનોએ આખરે ડોકટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરોએ ખોટી દવા આપી બેદરકારી દાખવતા પુત્રીનું મોત થયાનો આરોપ લગાવ્યો છે.

હડકંપ@થરા: દિકરીના મોતને લઈ સરકારી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ
બનાસકાંઠા જીલ્લાની થરા રેફરલ હોસ્પિટલમાં ઇન્દ્રમણા ગામની 7 વર્ષની દિકરી સારવાર ચાલતી હતી. આ દરમ્યાન પુજા ઠાકોર નામની બાળકીનું સરકારી હોસ્પિટલમાં જ મોત નિપજયુ છે. કોઇ કારણસર બાળકીનું મોત થતાં પરિવારજનોએ સરકારી ડોક્ટર ઉપર આક્ષેપ કર્યો હતો. ડોક્ટરોની બેદરકારીને લીધે બાળકીનું મોત થયાનો આરોપ લગાવી ખૂબ જ ગુસ્સે થયા હતા.

સમગ્ર મામલે દિવસભર ભારે ઉત્તેજના વચ્ચે પરિવારજનોએ થરા સરકારી રેફરલ હોસ્પિટલના ડોક્ટર ગોસ્વામી વિરુદ્ધ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.