સુચન: મંત્રીઓ ફરજિયાતપણે અઠવાડિયામાં 3 દિવસ યોજનાઓનો પ્રચાર કરે: પાટીલ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિજય રૂપાણી સરકારના પ્રધાનોને અઠવાડિયામાં બે દિવસ ભાજપના મુખ્યમથક કમલમમાં બેસાડવાનું શરૂ કર્યા બાદ હવે વધુ એક ફરમાન આપ્યું છે.સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે. સામાન્ય લોકોને સરકારની કામગીરી વિશે ખ્યાલ
 
સુચન: મંત્રીઓ ફરજિયાતપણે અઠવાડિયામાં 3 દિવસ યોજનાઓનો પ્રચાર કરે: પાટીલ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિજય રૂપાણી સરકારના પ્રધાનોને અઠવાડિયામાં બે દિવસ ભાજપના મુખ્યમથક કમલમમાં બેસાડવાનું શરૂ કર્યા બાદ હવે વધુ એક ફરમાન આપ્યું છે.સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે. સામાન્ય લોકોને સરકારની કામગીરી વિશે ખ્યાલ આવે અને સરકારી યોજનાનો લાભ મળે એ માટે તમામ મંત્રીઓને સચિવાલયની એ.સી. ઓફિસો છોડીને પ્રજા વચ્ચે જવા પાટીલ દ્વારા સૂચના અપાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે મોદી સ્ટાઇલ અપનાવી મંત્રીઓને કમલમમાં બેસાડવાનુ શરૂ કરીને દર અઠવાડિયે બે મંત્રીઓને કમલમમાં આવી કાર્યકરોની રજૂઆત સાંભળવાનો આદેશ કર્યો હતો. રૂપાણી સરકારે શરણાગતિ સ્વીકારીને આ આદેશનો એમલ શરૂ કર્યો છે ત્યાં સી.આર.પાટીલે નવો આદેશ આપ્યો છે કે, હવે મંત્રીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે દર શુક્રવાર ,શનિવાર અને રવિવારે જિલ્લા મથકોએ જવુ પડશે. તેમણે લોકોને મળીને કાર્યકરો તથા લોકોને સરકારી યોજનાઓથી વાકેફ કરવાના રહેશે. પાટીલે મંત્રીઓને કહ્યું છે કે, કેન્દ્ર-રાજ્યની કેટલીય યોજનાઓ એવી છે કે જેના વિશે હજુય લોકો અજાણ છે પરિણામે લોકો આ તમામ યોજનાના લાભથી વંચિત રહે છે. આ યોજનાઓ અંગે લોકોને માહિતી આપવાની જવાબદારી મંત્રીઓની છે તેથી તેમણે ફરજિયાત જવું પડશે.