આપઘાત@અમદાવાદઃ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
અટલ સમાચાર.અમદાવાદ અમદાવાદ શહેરમાં સાબરમતીની મધ્યસ્થ જેલમાં શુક્રવારના દિવસે સવારના સુમારે પાકા કામના એક કેદીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. નોધનીય છે કે, જેલમાં કેદીઓ અને અધિકારીઓ કોરોનાના ચેપમાં સપડાતા ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જાણવા મળતી વિગતો અનુસાર સાબરમતીની મધ્યસ્થ જેલમાં નવી જેલના
Jun 27, 2020, 12:32 IST
અટલ સમાચાર.અમદાવાદ
અમદાવાદ શહેરમાં સાબરમતીની મધ્યસ્થ જેલમાં શુક્રવારના દિવસે સવારના સુમારે પાકા કામના એક કેદીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. નોધનીય છે કે, જેલમાં કેદીઓ અને અધિકારીઓ કોરોનાના ચેપમાં સપડાતા ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
જાણવા મળતી વિગતો અનુસાર સાબરમતીની મધ્યસ્થ જેલમાં નવી જેલના વીસમી બેરેકમાં કામ કરતા પાકા કામના કેદી રમેશ હિતુજીએ કાપડના સ્ટોર પાસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સાબરમતી મધ્યસ્થ જેલમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાથી કેદીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. જેલમાં જ કેદીએ આત્મહત્યાનું પગલું ભરતા અન્ય કેદીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે. પાકા કામના કેદીની આત્મહત્યાના કેસમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.