આપઘાત@અમદાવાદ: શિક્ષકે 14માં માળેથી લગાવી મોતની છલાંગ, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં એક બિલ્ડીંગ પરથી નામાંકિત કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે મોતની છલાંગ મારી છે. પાર્થ ટાંક નામના શિક્ષકે હાઇરાઇઝ બિલ્ડીંગના 14મા માળેથી કૂદીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ તરફ પોલીસે મૃતકની લાશને
 
આપઘાત@અમદાવાદ: શિક્ષકે 14માં માળેથી લગાવી મોતની છલાંગ, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં એક બિલ્ડીંગ પરથી નામાંકિત કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે મોતની છલાંગ મારી છે. પાર્થ ટાંક નામના શિક્ષકે હાઇરાઇઝ બિલ્ડીંગના 14મા માળેથી કૂદીને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. વાસણા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ સ્થાનિકો સહિત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ તરફ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના વિશાલા પાસે હાઇરાઇઝ બિલ્ડીંગમાં આજે સવારે પાર્થ ટાંક જીમમાં ગયા હતા. જે બાદ તેમણે બિલ્ડીંગના 14મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. હજી જીવન ટૂંકાવવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મહત્વનું છે કે, તેઓ ધરણીધર વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ મેથ્યના કોચિંગ ક્લાસ ચલાવતા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાર્થ ટાંકને માનસિક બીમારી હતી જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું છે. આ અંગે એસીપી એમ ડિવિઝન વિનાયક પટેલના જણાવ્યાં પ્રમાણે, પાર્થ ટાંક વર્ષ 2012થી માનસિક અસ્વસ્થ હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. હાલમાં પોલીસે શિક્ષકના પડવાના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. આ બાદ પોલીસ બિલ્ડીંગના અન્ય લોકો સાથે પૂછપરછ કરી શકે છે. હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.