આપઘાત@ચાણસ્મા: યુવાનની લાશ કેનાલમાં મળી, દુર્ઘટનામાં રહસ્ય અકબંધ
અટલ સમાચાર, ચાણસ્મા
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે કંબોઇની કેનાલમાંથી યુવકની લાશ મળી આવી છે. મૂળ ચાણસ્માનો અજય પરમારની લાશ તેના મોસાળ રામગઢ પાસેની કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને પોલીસે મૃતકના સગાની ફરીયાદને આધારે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઇ પાસેની રામગઢ કેનાલમાંથી યુવકની લાશ મળી આવી છે. મૃતકના સગાએ નોંધાવેલી ફરીયાદ મુજબ ચાણસ્માના ઇન્દિરા નગરમાં રહેતા મૃતક અજયના આડા સંબંધ ઇન્દિરાનગરમાં જ રહેતા અમિતની પત્નિ સાથે હોવાનો શક આરોપીઓને હતો. જેથી તેમને અજયને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને લઇ અજય બીકના માર્યા કંબોઇ પાસેથી પસાર થતી રામગઢ કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, મૃતક અજયને અમિતની પત્નિ સાથે આડા સંબંધ હોઇ અમિત અને તેના ભાઇઓએ તેને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ ચાણસ્મા પોલીસે સ્ટેશને નોંધાઇ છે. મૃતકના સગા ગણપતભાઇ મફાભાઇ સોલંકીએ અમિત કનુભાઇ શ્રીમાળી, કલ્પેશ કનુભાઇ શ્રીમાળી અને દિપક કનુભાઇ શ્રીમાળી સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેયની સામે આઇપીસીની કલમ 306,114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.