આપઘાત@કાંકરેજ: સાસરીયાના ત્રાસથી કંટાળી પરીણિતાએ જીવન ટુંકાવ્યું, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોનાકાળ વચ્ચે કાંકરેજ તાલુકાના ગામે સાસરીયાના ત્રાસથી પરીણિતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પંથકની યુવતિના લગ્ન બાદ સાસરીયાંઓ અવાર-નવાર ત્રાસ આપતાં હોઇ પરીણિતાએ આ પગલું ભર્યુ હતુ. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ મૃતકના પિતાએ સાસરીયાંઓ સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ
 
આપઘાત@કાંકરેજ: સાસરીયાના ત્રાસથી કંટાળી પરીણિતાએ જીવન ટુંકાવ્યું, 3 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોનાકાળ વચ્ચે કાંકરેજ તાલુકાના ગામે સાસરીયાના ત્રાસથી પરીણિતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. પંથકની યુવતિના લગ્ન બાદ સાસરીયાંઓ અવાર-નવાર ત્રાસ આપતાં હોઇ પરીણિતાએ આ પગલું ભર્યુ હતુ. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ મૃતકના પિતાએ સાસરીયાંઓ સામે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આપઘાત@કાંકરેજ: સાસરીયાના ત્રાસથી કંટાળી પરીણિતાએ જીવન ટુંકાવ્યું, 3 સામે ગુનો દાખલ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના સમણવા ગામે 25 વર્ષિય પરીણિતાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ. યુવતિના લગ્ન અગાઉ જામઠા ખાતે થયા બાદ સાસરીયાંઓ ત્રાસ આપતાં હોવાનુ સામે આવ્યુ છે. ઘટના બાદ મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ શિહોરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યુ હતુ. આ તરફ મૃતકના પિતાએ તેના પતિ, સાસુ અને સસરાં સામે ફરીયાદ નોંધાવી છે. શિહોરી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ 306, 498 ક અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.