આપઘાત@સુરત: આર્થિક સંકડામણથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સતત બેકાર બનેલા લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. આ તરફ સુરતમાં આર્થિક સંકડામણથી કંટાળી આશાસ્પદ યુવાને જીવન ટુંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, વેપાર ધંધો બંધ થતાં પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવુ કઠીન હોઇ યુવાને હતાશ બની આ પગલું ભર્યુ છે. ઘટના બાદ સ્થાનિક
 
આપઘાત@સુરત: આર્થિક સંકડામણથી કંટાળી યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સતત બેકાર બનેલા લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. આ તરફ સુરતમાં આર્થિક સંકડામણથી કંટાળી આશાસ્પદ યુવાને જીવન ટુંકાવી દેતાં ચકચાર મચી ગઇ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, વેપાર ધંધો બંધ થતાં પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવુ કઠીન હોઇ યુવાને હતાશ બની આ પગલું ભર્યુ છે. ઘટના બાદ સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મૂળ જૂનાગઢના ઉમેશપુરાગામના વતની અને હાલ સુરતના પુણાગામમાં આવેલા અયોધ્યાનગરમાં રહેતા 20 વર્ષીય શરદ ઘનશ્યામભાઈ વઘાસિયા સુરતના યોગીચોકમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો. જોકે, કોરોના મહામારી વચ્ચે લોકડાઉન થઇ જતાં દુકાન બંધ કરીને વતન ગયો હતો. ત્યાં રૂપિયાની આર્થિક તકલીફ પડતા અને પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ થતા ફરી વેપાર ધંધા શરૂ કરવા માટે 15 દિવસ પહેલા વતનથી સુરત ખાતે આવી પહોંચ્યો હતો.

આ દરમ્યાન પોતાની રાબેતા મુજબ નાસ્તાની હોટલ શરૂ કરી હતી. છેલ્લા 15 દિવસથી કામ કરતાં હોવા છતાંય પોતાનો વેપાર યોગ્ય રીતે નહિ ચાલતા અને સતત આર્થિક મુશ્કેલી પડતી હોવાને લઈને માનસિક તાણ અનુભવતા આ યુવાને આવેશમાં આવી જઇ પોતાના ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે ઘટનાની જાણકારી પાડોશી દ્વારા પોલીસને મળતા પોલીસ પણ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.