આપઘાત@વડોદરાઃ સાતમા માળેથી વૃદ્ધે પડતુ મુંકતા ચકચાર, આખરે મોત
અટલ સમાચાર, ડેસ્ક વડોદરામાં એક વૃધ્ધએ માંજલપુરમાં બહુમાળી રહેણાંક ઈમારતના સાતમાં માળેથી પડતુ મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તમામ લોકોમાં ચર્ચા ઉઠી હતી કે, વડિલને એવું તે શું દુખ પડ્યુ હશે કે તેમણે આ ઉમંરે જીવન ટુંકાવવું પડ્યુ હશે? વડોદરાના માંજલપુરમાં વૃદ્ધના આપઘાતની ઘટના સામે આવી છે. સતર્વ હાઈટ્સના સાતમા માળેથી વૃદ્ધે
Jan 31, 2020, 11:04 IST
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરામાં એક વૃધ્ધએ માંજલપુરમાં બહુમાળી રહેણાંક ઈમારતના સાતમાં માળેથી પડતુ મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તમામ લોકોમાં ચર્ચા ઉઠી હતી કે, વડિલને એવું તે શું દુખ પડ્યુ હશે કે તેમણે આ ઉમંરે જીવન ટુંકાવવું પડ્યુ હશે? વડોદરાના માંજલપુરમાં વૃદ્ધના આપઘાતની ઘટના સામે આવી છે. સતર્વ હાઈટ્સના સાતમા માળેથી વૃદ્ધે પડતુ મુકીને આપઘાત કર્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
આપઘાત કરનાર વડિલ સતર્વ હાઈટ્સના રહેવાસી નથી તે કોઈ અન્ય સોસાયટીમાં રહેતા હતા પરંતુ વૃદ્ધે સતર્વ હાઈટ્સના સાતમાં માળેથી આપઘાત કર્યો. સોસાયટીમાંથી નિકળતા વૃદ્ધના CCTV સામે આવ્યા છે. વૃદ્ધના આપઘાતની ઘટનાની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા તુરંત જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથધરી છે.