આપઘાત@વિસનગર: નાણાંભીડમાં ફસાયા આઘેડ, ઓફીસમાં જ ગળેફાંસો ખાધો
અટલ સમાચાર, વિસનગર (મનોજ ઠાકોર)
કોરોના મહામારી વચ્ચે વિસનગરમાં કન્ટ્રક્શન ઓફીસમાં કામ કરતા આધેડે આપધાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. આજે વહેલી સવારે ઓફીસે આવી ભારે મુંઝવણ વચ્ચે નાણાંભીડમાં ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે. ઘટનાની જાણ થતાં ઓફીસ ઉપર આસપાસના લોકો સહિતના મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્થળ પરથી મળેલી ચિઠ્ઠીમાં કોઇનો પણ દોષ નથી તેવુ મૃતકે લખ્યુ હોવાનું તેમના ભાઇએ પોલીસને કહ્યુ છે. વિસનગર પોલીસે નિયમોનુસાર કાર્યવાહી કરી લાશને અગ્નિસંસ્કાર અર્થે પરિવારને સોંપી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના દેણપ ગામના વતની પ્રવિણભાઇ પટેલે આજે આપઘાત કરી લીધો છે. વિસનગરમાં ઓફીસ ધરાવતી અર્જૂન કન્ટ્રક્શન કંપનીમાં એકાઉન્ટનું કામ કરતા પ્રવિણભાઇ નરસિંહભાઇ પટેલ(ઉ.50) લોકડાઉન વચ્ચે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. નાણાંકીય સંકટને કારણે છેલ્લા ઘણા સમયથી પૈસાની કટોકટી અનુભવતા ભારે મુંઝવણ હેઠળ હતા. જેમાં આજે અચાનક વહેલી સવારે ઓફીસે આવી પંખા ઉપર દોરડું લટકાવી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ હતુ.
સૂત્રો જણાવ્યુ હતુ કે, મૃતક કોરોના મહામારીના ફફડાટ વચ્ચે આર્થિક મોરચે લડત આપી રહ્યા હતા. પ્રવિણભાઇ એકાઉન્ટન્ટ તરીકે છેલ્લા દસ વર્ષથી નોકરી કરતાં હતા. જોકે ઘણા સમયથી આર્થિક તંગીનો સામનો કરતા છેવટે આપઘાત કરી લીધો છે. પ્રવિણભાઇ પટેલ ગળેફાંસો ખાધેલી હાલતમાં ઓફીસમાંથી મળી આવ્યા હોવાની જાણ પરિવારજનોને થતાં ભારે દોડધામ વચ્ચે શોકમાં ગરકાવ થયા છે.