આપઘાત@થરાદ: મહિલાએ 4 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, કુલ 3 વ્યક્તિના મોત, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ પંથકની કેનાલમાં આપઘાત કરવાનો સિલસિલો યથાવત હોય તેમ આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક મહિલાએ એકસાથે ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિતના તરવૈયાઓએ જીવના જોખમે કેનાલમાં કુદીને તેઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલા અને બે બાળકોના મોત થયા
 
આપઘાત@થરાદ: મહિલાએ 4 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, કુલ 3 વ્યક્તિના મોત, કારણ અકબંધ

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ પંથકની કેનાલમાં આપઘાત કરવાનો સિલસિલો યથાવત હોય તેમ આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક મહિલાએ એકસાથે ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિતના તરવૈયાઓએ જીવના જોખમે કેનાલમાં કુદીને તેઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલા અને બે બાળકોના મોત થયા તો અન્ય બે બાળકોને બચાવી લેવાયા છે. ઘટનાને લઇ કેનાલ નજીક મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં વહેલી સવારે એક માતાએ ચાર બાળકો સાથે ઝંપલાવ્યુ હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે વાવ તાલુકાના ચોથા નેસડા ગામના દિવાળીબેન ખોળાભાઇ પરમાર નામની મહિલાએ ચાર બાળકો સાથે અગમ્ય કારણોસર કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.

આપઘાત@થરાદ: મહિલાએ 4 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, કુલ 3 વ્યક્તિના મોત, કારણ અકબંધ
બચાવી લેવાયેલ બંને માસૂમ બાળકોની તસવીર

આ તરફ ઘટનાની જાણ થતાં જ તરવૈયાઓએ મહામહેનતે બે બાળકોને જીવીત બહાર કાઢ્યા હતા. જોકે મહિલા અને બે બાળકો સહિત કુલ ત્રણ લોકોના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

આપઘાત@થરાદ: મહિલાએ 4 બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, કુલ 3 વ્યક્તિના મોત, કારણ અકબંધ