આપઘાત@વડોદરા: ધો.10ની પુરક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વડોદરાનાં આજવા રોડ વિસ્તારમાં રહેતો ઘોરણ 10નાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આ વિદ્યાર્થી બોર્ડની પૂરક પરીક્ષામાં પણ ના પાસ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણ થઇ છે કે આ વિદ્યાર્થીને પબ જી ગેમ રમવાની ટેવ હતી. આ સાથે કિશોરને સિકલસેલની પમ બીમારી હતી જેના કારણે આ અંતિમ નિર્ણય લીધો
 
આપઘાત@વડોદરા: ધો.10ની પુરક પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે વડોદરાનાં આજવા રોડ વિસ્તારમાં રહેતો ઘોરણ 10નાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. આ વિદ્યાર્થી બોર્ડની પૂરક પરીક્ષામાં પણ ના પાસ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણ થઇ છે કે આ વિદ્યાર્થીને પબ જી ગેમ રમવાની ટેવ હતી. આ સાથે કિશોરને સિકલસેલની પમ બીમારી હતી જેના કારણે આ અંતિમ નિર્ણય લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી યોગેશ્વર સોસાયટીમાં રહતા 17 વર્ષનો જયદેવ વસાવાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. તેણે માર્ચ 2020માં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં તે નાપાસ થયા બાદ ફરીથી પૂરક પરીક્ષા આપી હતી. પરંતુ, તે પુરક પરીક્ષામાં પણ નાપાસ થયો હતો. આ વાત તેના મનમાં ઘર કરી ગઇ હતી. બોપોદ પોસીલની પ્રાથમિક તપાસમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા આ નિર્ણય લેવાયો હોવાનું માનવમા આવી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થી સિલકસેલની બીમારીથી પીડાતો હતો. જયદેવનાં પરિવારમાં સંતાનમાં એક અન્ય બહેન છે. જયદેવને આ બધા ઉપરાંત પબજી રમવાની પણ લડ પડી ગઇ હતી. આખો દિવસ તે પોતાના રૂમમાં બેસીને પબજી રમતો રહેતો હતો. તે તેની બીમારી અન બોર્ડમાં નાપાસ થયો તેનાથી તૂટી ગયો હતો. માનવામાં આવે છે આ કારણોને લીઘે મોડી સાંજે પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ છે અને લાગતાવળગતાની પૂછપરછ કરવામાં આવી રહી છે.