સુઇગામ: કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ગામને સેનેટાઇઝ કરાયું
અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)
કોરોના મહામારીથી બચવા સરકાર દ્વારા લોકડાઉન કરી જનતાને ઘેર રહેવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર જનતા લોકડાઉનનું પાલન કરી રહી છે ત્યારે સુઇગામના સોનેથ ગામના સરપંચે ગામને સુરક્ષિત રાખવા માટે શુક્રવારનાં રોજ આરોગ્ય વિભાગ સ્ટાફ સાથે ગામને સેનેટાઇઝ કર્યુ હતુ. જેમાં તલાટી અને ગામના જાગૃત નાગરિકોના સહયો થી સોનેથ ગામને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતુ.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાના સોનેથ ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યુ છે. સોનેથ ગામમાં જાહેર જગ્યાઓ જેવી કે આંગણવાડી, દૂધ મંડળી, પંચાયત ઘર તેમજ ગામની તમામ ગલીઓમાં સેનેટાઇઝ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, વિજયભાઈ, જાડેજા રણજીતસિંહ, આરોગ્ય વિભાગના એમ.પી.એચ.ડબ્લ્યુ વીણભાઈ દલવાડી, એફ.એચ.ડબ્લ્યુ-મંજુલાબેન પરમાર તેમજ સી.એચ.ઓ.-પટેલ અનામિકાબેન, અમૃતજી ઠાકોર (પત્રકાર),તમામ આશાવર્કર બહેનો, વગેરેએ સાથે રહી આ કામગીરીમાં સહભાગી થયા હતા.