સુરત: 16 વર્ષની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના સંકટ વચ્ચે સુરતના વરાછા વિસ્તરમાં આવેલા પુણાગામ ખાતે રહેતી આઠમા ધોરણમાં ભણતી વિધાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. જેને કારણે ચકચાર મચી જવા પામી છે. જોકે, આ કિશોરીએ કયા કારણે આપઘાત કર્યો છે તેનું કારણ સામે આવ્યું નથી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતમાં પુણાગામ વિસ્તારમાં આવેલી
 
સુરત: 16 વર્ષની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના સંકટ વચ્ચે સુરતના વરાછા વિસ્તરમાં આવેલા પુણાગામ ખાતે રહેતી આઠમા ધોરણમાં ભણતી વિધાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. જેને કારણે ચકચાર મચી જવા પામી છે. જોકે, આ કિશોરીએ કયા કારણે આપઘાત કર્યો છે તેનું કારણ સામે આવ્યું નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં પુણાગામ વિસ્તારમાં આવેલી રાધા ક્રિષ્ના સોસાયટીમાં આવેલા ચામુંડા એપાર્ટમેન્ટમાં રહેતી 16 વર્ષની રોશનીસિંગે (ઉ.વ.આ.16) આપઘાત કરી લીધો છે. રોશની 8માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. રોશનીના પિતા સાડીનું કામ કરે છે. માતા શાકભાજી લેવા ગઈ હતી. ત્યારે આ કિશોરીએ મોતને વહાલુ કર્યું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 16 વર્ષીય દીકરી રોશનીએ ગઇકાલે મોડી રાતે પોતાના ઘરની છતના પંખા સાથે દોરી બાંધી ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જોકે, કોરોના અને લૉકડાઉનનાં કારણે પરિવાર આર્થિક સંકડામણમાંથી પસાર થઇ રહ્યુ હતું. તેમાં દીકરીએ આપઘાત કરતા પરિવર આઘાતમાં સરી પડ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે