સુરત: મનપા તંત્ર દ્રારા કોરોનાનું સંક્રમણ અટકાવવા નવતર પ્રયોગ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં છેલ્લા પંદર દિવસથી રાંદેર ઝોન વિસ્તારના પાલ, અડાજણ, પાલનપુર, રાંદેર રોડ અને જહાંગીરપુરા વિસ્તારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બહારના લોકોની અવરજવર ઓછી થાય અને લોકો ઓછી સંખ્યામાં ભેગા થાય તે માટે રાંદેર ઝોનમાં સરદાર બ્રિજ સર્કલ, એલ.પી.સવાણી સર્કલ, સ્ટાર બજાર સર્કલ, ભેંસાણ સર્કલ, ઇસ્કોન સર્કલ સહિતના દસ સર્કલ પર
 
સુરત: મનપા તંત્ર દ્રારા કોરોનાનું સંક્રમણ અટકાવવા નવતર પ્રયોગ કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં છેલ્લા પંદર દિવસથી રાંદેર ઝોન વિસ્તારના પાલ, અડાજણ, પાલનપુર, રાંદેર રોડ અને જહાંગીરપુરા વિસ્તારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બહારના લોકોની અવરજવર ઓછી થાય અને લોકો ઓછી સંખ્યામાં ભેગા થાય તે માટે રાંદેર ઝોનમાં સરદાર બ્રિજ સર્કલ, એલ.પી.સવાણી સર્કલ, સ્ટાર બજાર સર્કલ, ભેંસાણ સર્કલ, ઇસ્કોન સર્કલ સહિતના દસ સર્કલ પર ચેતવણીદર્શક બોર્ડ લગાડવામાં આવ્યા છે. જનાથી લોકોની અવાર જવર પર પ્રતિબંધ લાગશે અને લોકો આ ઝોન માંથી અવાર જવર ઓછી કરે તો આ વિસ્તારમાં સક્ર્મણ પણ ઘટી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં સતત કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યુ છે, ત્યારે સૌથી કેસ સુરતના રાંદેર ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ ઝોનમાં આવતા લોકો અન્ય ઝોનમાંથી પણ આવતા હોય છે તે ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આ ઝોન દ્વારા શહેરમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે લોકોની અવર જવર પર નિયત્રંણ કરવા માટે મનપા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અને સમગ્ર ઝોનમાં બોર્ડ લગાવામાં આવ્યા છે.

સુરત: મનપા તંત્ર દ્રારા કોરોનાનું સંક્રમણ અટકાવવા નવતર પ્રયોગ કર્યો

લોકોને આ વિસ્તારમાં સંક્ર્મણ હોવા સાથે ‘તમે સંક્ર્મણ વાળા હાઇ રિસ્ક વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા છો’ ના બોર્ડ દ્વારા ચેતવણી આપવાં પ્રયાસ કર્યો છે. કોરોના મહામારીમાં ગુજરાતમાં દૈનિક પોઝિટિવ કેસમાં સુરત સૌથી આગળ છે. ત્યારે દરોજ 300 કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે. તેવામાં આ સંક્ર્મણ અટકાવવા માટે તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.