સુરતઃ બપોર સુધીમાં કોરોનાના 212 કેસ આવતાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક સુરતમાં સંક્રમિત દર્દીઓનો આંકડો 29,083 ને પાર કરી ગયો છે. અને છેલ્લા 12 કલાકમાં શહેરમાં 102 અને જિલ્લામાં વધુ એકવાર વિક્રમી 110 નવા કેસ સામે આવતા 212 નવા કેસ ની સંખ્યા થઇ છે. શહેરમાં બધા જતા સંક્રમણને કારણે વી.આઇ.પી.રોડ. ગૌરવ પથ. સીટીલાઇટ રોડ. ઘોડદોડ રોડ. તેમજ ડુમ્મસ રોડ ઉપર રાત્રે 10 વાગ્યા
 
સુરતઃ બપોર સુધીમાં કોરોનાના 212 કેસ આવતાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં સંક્રમિત દર્દીઓનો આંકડો 29,083 ને પાર કરી ગયો છે. અને છેલ્લા 12 કલાકમાં શહેરમાં 102 અને જિલ્લામાં વધુ એકવાર વિક્રમી 110 નવા કેસ સામે આવતા 212 નવા કેસ ની સંખ્યા થઇ છે. શહેરમાં બધા જતા સંક્રમણને કારણે વી.આઇ.પી.રોડ. ગૌરવ પથ. સીટીલાઇટ રોડ. ઘોડદોડ રોડ. તેમજ ડુમ્મસ રોડ ઉપર રાત્રે 10 વાગ્યા પછી લારી ગલ્લા અને દુકાનો બંધ રાખવા મનપા કમિશનર દ્વારા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે અને સેન્ટ્રલ ઝોનના ચૌટા બજારમાં પણ મોડી રાત્રે દુકાનો બંધ કરાવી દેવા સેન્ટ્રલ ઝોનને કમિશનરે સુચના આપી છે. સૂચનાનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં કુલ મૃત્યુની સંખ્યા 923 ઉપર પહોંચી છે. જા કેસની આજ રફતાર રહી તો શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેસ રાજ્યના અન્ય જિલ્લા અને શહેર ની પાછળ પાડી દેશે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઍક્ટિવ દર્દી 2,543 છે. અને 25405 દર્દી સ્વસ્થ્ થઇ ચૂક્યા છે. ધુ વિગતો મુજબ અધિક માસમાં કોરોનાની સંખ્યા અધિક વધી રહી છે. મનપાના જુદા જુદા ઝોન વિસ્તારમાં સંક્રમણ ફરી ઍકવાર વધવા લાગ્યું છે. વરાછા અને કતારગામ ઝોનમાં સતત કેસોમાં વધારો થઇ રહ્ના છે શહેરમાં અઠવા ઝોન સૌથી વધુ સંક્રમિત ઝોન બની રહ્યો છે, જેને લઇને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતા જતા કેસો નું સંક્રમણ અટકાવવા માટે ધડાધડ કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

શહેરમાં અઠવા ઝોન વિસ્તારમાં સમાવેશ થતા ની.આઇ.પી. રોડ. ગૌરવ પથ. સીટી લાઇટ વિસ્તાર. યુનિવર્સિટી રોડ. ઘોડદોડ રોડ તેમજ ડુમસ રોડ પર રાત્રે 10 વાગ્યા પછી લાડી ગલ્લા અને દુકાનો બંધ રાખવા માટેનું મનપા કમિશનર દ્વારા અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ચૌટા બજારમાં પણ ખરીદી માટે ઍકઠી થતી ભીડને લઇ ને મનપા કમિશનર ઍ નિર્ણય લઇને મોડી સાંજે આ વિસ્તારની દુકાનો તથા લારી-ગલ્લા બંધ કરાવી દેવા સેન્ટ્રલ ઝોનને સૂચના જારી કરી દીધી હોવાનું મનપાના અધિકારીત આરોગ્ય વિભાગના સૂત્રોઍ ઉમેર્યું હતું.