સુરતઃ ધો.12 વિજ્ઞાનના પેપરમાં નાપાસ થતાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત રવિવારે 17મેના રોજ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. આ વર્ષે 71.34 ટકા પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાયેલી હતી. જોકે, કેટલાક નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી. આવી સ્થિતિમાં સુરતમાં ધોરણ 12 સાન્યસમાં નાપાસ થતાં એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે
 
સુરતઃ ધો.12 વિજ્ઞાનના પેપરમાં નાપાસ થતાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત રવિવારે 17મેના રોજ બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. આ વર્ષે 71.34 ટકા પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાયેલી હતી. જોકે, કેટલાક નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી. આવી સ્થિતિમાં સુરતમાં ધોરણ 12 સાન્યસમાં નાપાસ થતાં એક વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા દિવાળીબાગ સોસાયટીમાં 17 વર્ષીય નિસર્ક પરેશભાઈ પરતીવાલા પરિવાર સાથે રહેતો હતો. જોકે, આજે આવેલા વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં તેની આશા ઉપર પાણી ફરીવળ્યું હતું. અને તે નાપાસ થયો હતો. આઘાતમાં સરી પડેલા નિસર્ક રૂમમાં પંખા સાથે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારે નિસર્ક લટકતી હોલતમાં મળ્યો હતો. જેથી તેને તાત્કાલિત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુકે, ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.34 % પરિણામ આવ્યું. 1,16,494 વિદ્યાર્થીઓમાંથી 83,111 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા. સૌથી ઉંચું રાજકોટ જિલ્લાનું 84.69 % પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં કેન્દ્ર મુજબ સૌથી ઉંચું પરિણામ ધ્રોલ કેન્દ્રનું પરિણામ જાહેર થયું છે. આ કેન્દ્રનું 91.42 % પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 23.02% પરિણામ આવ્યું છે.